શોધખોળ કરો
Advertisement
વડોદરાના પરિવારના 4 લોકોના મૃતદેહ મળ્યાં બાદ રાત્રે કરાયા અંતિમસંસ્કાર, પરિવારમાં માતમ છવાયો
આજે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મોડી રાતે 4 લોકોના એકસાથે અંતિમ યાત્રા નિકળી હતી
વડોદરાઃ છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી કાર ડભોઈ તાલુકાના તેન તલાવ ગામની નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. કારમાં સવાર પાંચ લોકો મૃત્યુ પામ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ફાયરબ્રિગેડે કારને બહાર કાઢતાં તેમાંથી 4 મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે 1 મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ છે જોકે આજે મહિલાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વની વાત છે કે, દરમિયાન ગુરૂવાર રાત્રે મૃતકોના વડોદરા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવાપુરાનો વેપારી કલ્પેશ પરમાર રવિવારે પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન તેમજ દીકરા અને દીકરીને લઈ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પ્રવાસે ગયો હતો. જોકે સાંજે કારમાં પરત વડોદરા આવવા નીકળ્યા બાદ આકો પરિવાર ભેદી રીતે ગુમ થઈ ગયો હતો તેવી ચર્ચા ચાલતી હતી.
પરિવારજનોએ શોધખોળ કર્યાં બાદ નહીં મળતા કલ્પેશના સાળા કિરણે કેવડિયા પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેવડિયા વિસ્તારના સવારથી સાંજ સુધીના સી.સી.ટી.વી ફૂટેજની ચકાસણી કરતાં સાંજે 7 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા તરફ જતી કાર જોવા મળી હતી અને બાદમાં ગુમ થયેલી કારની શોધખોળ શરૂ કરાવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે, કાર નર્મદાની કેનાલમાં પડી છે અને તમામ પાંચેય લોકોના મોત થયા જોકે ક્રેઈનની મદદથી મૃતક પરિવારને બહાર કઢવામાં આવ્યો હતો ત્યાર બાદ કારમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતાં. જોકે આજે મહિલાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion