શોધખોળ કરો

Vadodara: રાજ્યમાં વધુ બે વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી મોત,પોલીસે શરુ કરી તપાસ

વલસાડ: જામનગરમા ગઈકાલે પાણીમાં ડૂબવાથી એક જ પરિવારના 3 લોકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોના આજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના હજુ તાજી જ છે ત્યા વલસાડ અને વડોદરામાં બે લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે.

વલસાડ: જામનગરમા ગઈકાલે પાણીમાં ડૂબવાથી એક જ પરિવારના 3 લોકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોના આજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના હજુ તાજી જ છે ત્યા વલસાડ અને વડોદરામાં બે લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. વલસાડના મોગરાવાડીના મોટા તળાવ વિસ્તારમાં યુવકનું ડૂબી જવાથી મોત થયું છે.

યુવક તળાવમાં શા માટે ગયો હતો તેનું કારણ અંકબંધ છે. યુવકના મોતના સમાચાર મળતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તળાવ ખાતે ઉમટી પડ્યા છે. યુવકની લાશને વલસાડ ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી બહાર કાઢી છે. હાલમાં સીટી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 


Vadodara: રાજ્યમાં વધુ બે વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી મોત,પોલીસે શરુ કરી તપાસ

તો બીજી તરફ વડોદરાના ડભોઇ તાલુકાના ચનવડા ખાતે રહેતા વૃદ્ધનું કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ડભોઇ વડજ નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. વૃદ્ધ કેનાલમાં ન્હાવા જતા ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. મૃતક વૃદ્ધ ચનવાળાના વણકર ફળિયાના રહેવાસી નટુભાઈ બુધરભાઈ વણકર હોવાની માહિતી સામે આવી છે. 

એક સાથે 5 લોકોની અંતિમયાત્રા નિકળતા આખું ગામ હિબકે ચડ્યું

જામનગરમાં ગત રોજ સપડા ડેમમાં 5 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે. આ બનાવ બાદ સવારથી મૃતકોના વિસ્તારમાં લોકોએ શોક રાખી ધંધા રોજગાર બંધ પાડ્યા હતા. આજે  રહેઠાણથી એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા નીકળતા લાગણીસભર દ્ર્શ્યો સર્જાયા હતા. આખુ ગામ હિબકે ચડ્યું હતું. સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી સવાઈ હતી.

પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા બન્ને  પરિવારો શોકમાં ગરકાવ

તમને જણાવી દઈએ કે, જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઈ મંગેએ થોડા દિવસો પહેલાં કાર ખરીદી હતી. જે બાદ શનિવારે તેમનાં પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશીઓ સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. અહીં તમામ પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા બન્ને  પરિવારો શોકમાં ગરકાવ થયા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget