શોધખોળ કરો

Vadodara : દીકરીના લગ્નની વાત કરવા આવેલા પિતા-દાદીનું કોરોનાથી નિધન થતાં ગામમાં શોકનો માહોલ

પાદરાના બામણશી ગામે દીકરીના લગ્નના વ્યવહારની વાત કરવા આવેલા દીકરીના પિતા અને દાદીનું કોરોનાથી સંબંધીને ત્યાં જ મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. બામણશી ગામે બનેલી આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી.

વડોદરાઃ પાદરાના બામણશી ગામે દીકરીના લગ્નના વ્યવહારની વાત કરવા આવેલા દીકરીના પિતા અને દાદીનું કોરોનાથી સંબંધીને ત્યાં જ મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. બામણશી ગામે બનેલી આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી. બીજી તરફ જીવના જોખમે મહેમાનને પોતાના ઘેર રાખી સારવાર કરાવનાર બામણશી ગામના પઢિયાર પરિવારની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

આ અંગેની વિગતો એવી છે કે, વાંસદ નજીક ફાજલપુરમાં રહેતા મહેશ ચીમનભાઇ સોલંકીની પુત્રીના લગ્ન બામણશી ગામે લગ્ન નક્કી થયા હોવાથી લગ્નના રિતરિવાજો નક્કી કરવા માટે દસ દિવસ પહેલાં મહેશભાઇ અને તેમના માતા ગંગાબેન સોલંકી બામણશી ગામે  રહેતા ભાણેજ જમાઇ પરેશભાઇ પઢિયારને ત્યાં આવ્યા હતા.

જોકે, અહીં બંને માતા-પુત્ર બીમાર પડતાં પરેશભાઇએ બંનેની સારવાર કરાવી હતી. જેમાં મહેશભાઇને કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરેશભાઇએ પરિવારજનોને હિંમત આપી હતી અને કોરોનાનું સંક્રમણ ના થાય તેની તકેદારી રાખી સારવાર કરાવી હતી. દરમિયાન મહેશભાઇના માતાને પણ કોરોના થતાં તેમની પણ પરિવારે સારવાર કરાવી હતી.

દસ દિવસની સારવાર બાદ મહેશભાઇનું મોત થયું હતું. તેમની અંતિમક્રિયા બામણશી ગામે જ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના માતાનું પણ મોત થતાં તેમની પણ અંતિમક્રિયા ગામમાં જ કરાઇ હતી.  બામણવશી ગામે ભાણેજ જમાઇના ત્યાં મહેમાન તરીકે રહેલા માસા સસરા અને તેમના માતાએ દીકરીના લગ્નની મોટાભાગની તૈયારી કરી દીધી હતી.

પંદર દિવસ  બાદ લગ્ન લેવાનાર હોવાથી તેઓ વેવાઇ પક્ષ સાથે રિતરિવાજ નક્કી કરવા બામણશી ગામે આવ્યા હતા. પરંતુ ત્યાં જ બંનેનું મોત થતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. 

 

રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં યોગીવાળી?
Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Friday worship: શુક્રવારે આ ખાસ વિધિથી કરો દેવી લક્ષ્મીની પૂજા, ખુલી જશે ધન લાભનો માર્ગ!
Friday worship: શુક્રવારે આ ખાસ વિધિથી કરો દેવી લક્ષ્મીની પૂજા, ખુલી જશે ધન લાભનો માર્ગ!
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Embed widget