શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara: સોની પરિવારના આપઘાત કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, ઘર વેંચાતુ ન હોવાથી જ્યોતિષોને.....
ભાવિન સોનીના નિવેદન બાદ પોલીસે પણ અલગ અલગ નવ જ્યોતિષો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
![Vadodara: સોની પરિવારના આપઘાત કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, ઘર વેંચાતુ ન હોવાથી જ્યોતિષોને..... Vadodara: Shocking revelations in Soni family's suicide case, the house is not for sale to astrologers ..... Vadodara: સોની પરિવારના આપઘાત કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, ઘર વેંચાતુ ન હોવાથી જ્યોતિષોને.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/05133343/vadodara-suicie-case.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાના સમા વિસ્તારમાં એક જ પરિવારના છ લોકોના આત્મહત્યાના પ્રયાસના બનાવમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાવિન સોનીનું નિવેદન લીધુ હતું. ભાવિન સોનીએ પોલીસને જે હકિકત જણાવી તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ભાવિન સોનીએ પોલીસને જણાવ્યું કે આર્થિક સંકળામણના લીધે તેમના પિતા નરેંદ્રભાઈ સોની પોતાનુ ઘર વેંચવા માટે કાઢ્યુ હતુ. પરંતુ કોઈ કારણોસર ઘર વેંચાતુ ન હોવાથી નરેંદ્રભાઈએ જ્યોતિષોનો સહારો લીધો હતો. અલગ અલગ નવ જ્યોતિષો પાસે નરેંદ્રભાઈએ વાસ્તુદોષની વિધી કરાવી અને તેના બદલામાં એ તમામ જ્યોતિષોને તેમણે અંદાજે 32 લાખ જેટલા રૂપિયા પણ આપ્યા હતા. તેમ છતા પણ ઘર વેંચાતુ ન હોવાથી આખરે પરિવારને આત્મહત્યાનું પગલુ ભરવાનો વારો આવ્યો.
ભાવિન સોનીના નિવેદન બાદ પોલીસે પણ અલગ અલગ નવ જ્યોતિષો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તો પોલીસને મળેલી ચાર પાનાની સુસાઈડ નોટમાં પણ સમગ્ર કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. પોલીસે હાલ તો ચાર પાનાની સુસાઈડ નોટને FSLમાં મોકલી આપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)