શોધખોળ કરો

Inheritance Tax in India: સામ પિત્રોડાના જે નિવેદન બાદ બબાલ મચી ગઇ, તે વારસાગત ટેક્સ શું છે?

વારસાગત વેરા અંગે સામ પિત્રોડાનું નિવેદન હાલ ખૂબ ચર્ચામાં છે, તો ચાલો આજે સમજીએ કે વારસાગત ટેક્સ શું છે.

Inheritance Tax in India: ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર હંમેશા ચર્ચામાં  રહે છે. આ અંગે અનેક પ્રકારના રાજકીય નિવેદનો આવતા રહે છે. હાલ કોંગ્રેસના નેતા  સામ પિત્રોડાએ  અમેરિકાના શિકાગોમાં વારસાગત ટેકસની  હિમાયત કરતી વખતે ભારતમાં પણ સમાન કાયદો લાવવાની હિમાયત કરી છે.

 જે બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, આખરે વારસાગત ટેક્સ શું છે.તો  ચાલો આજે જાણીએ કે આ ટેક્સ શું છે

વારસાગત ટેક્સ શું છે?

તમને જણાવી દઈએ કે, ઘણા દેશોમાં વારસામાં મળેલી પ્રોપર્ટી પર ટેક્સ લગાવવામાં આવે છે. જેને વારસાગત ટેક્સ કહે છે. આ ટેક્સ તે વ્યક્તિએ ચૂકવવાનો રહેશે જેણે તે મિલકત મેળવી છે.

વારસાગત કર વેલ્થ ટેક્સથી અલગ છે

જો તમે વેલ્થ ટેક્સ અને ઈન્હેરિટન્સ ટેક્સને સમાન ગણી રહ્યાં છો, તો તે અલગ છે,  આ બંને અલગ છે. જ્યાં મિલકતનું વિભાજન થાય તે પહેલા જ તેના પર એસ્ટેટ ટેક્સ લાદવામાં આવે છે. જ્યારે વારસાગત વેરો સીધો જ વારસામાં મિલકત મેળવનારાઓ પર લાદવામાં આવે છે.યુએસ સરકાર મોટી સંપત્તિઓ પર સીધો જ એસ્ટેટ ટેક્સ લાદે છે. પરંતુ જો આ મિલકતમાંથી કોઈ આવક હોય તો તેના પર પણ અલગથી આવકવેરો લાદવામાં આવે છે.

વારસાગત ટેક્સની વ્યાખ્યા શું છે?

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં કહ્યું છે કે, અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. જો કોઈની પાસે $100 મિલિયનની સંપત્તિ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે, તો તે વ્યક્તિ ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, 55 ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. જે કહે છે કે તમે તમારી પેઢીમાં જે સંપત્તિ બનાવી છે અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ - બધી નહીં, પરંતુ અડધી. મને આ ન્યાયી કાયદો ગમે છે.

સેમે આગળ કહ્યું - જો કે,  ભારતમાં આવો કોઇ કાયદો  નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ છે અને તે મૃત્યુ પામે છે, તેના બાળકોને 10 અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું... તેથી લોકોએ આવા મુદ્દાઓ પર  ચર્ચા કરવી પડશે. મને ખબર નથી કે, અંતે શું નિષ્કર્ષ આવશે પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
હાઈવે પર ગાડી બગડી જાય કે ટાયર ફાટી જાય તો ચિંતા છોડો, બસ આ 1 નંબર સેવ કરી લો
હાઈવે પર ગાડી બગડી જાય કે ટાયર ફાટી જાય તો ચિંતા છોડો, બસ આ 1 નંબર સેવ કરી લો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
Embed widget