શોધખોળ કરો

Amit Shah On CAA: લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં લાગૂ થશે CAA, અમિત શાહનું મોટું નિવેદન

Amit Shah On CAA: ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર જણાવ્યું કે, CAAને લોકસભા ચૂંટણી પહેલા નોટિફાય કરવામાં આવશે અને તેને લાગુ પણ કરવામાં આવશે. અગાઉ ડિસેમ્બરમાં પણ તેણે આ જ વાત કહી હતી.

Home Minister Amit Shah On CAA: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેને લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે CAAના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં.

પહેલા સમજો કે નાગરિકતા કાયદો CAA શું છે

નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ એક વિવાદાસ્પદ કાયદો છે. આ કાયદો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છ ધર્મો, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસીના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપે છે.

એટલે કે, આ કાયદા હેઠળ, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી આવતા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ 2014 સુધી કોઈને કોઈ અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આવીને સ્થાયી થયા હતા. જો કે, મુસ્લિમોને આ જોગવાઈથી દૂર રાખવામાં આવ્યા છે જેના કારણે આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.

ત્રણ દેશોમાંથી આવતા વિસ્થાપિત લોકોને નાગરિકતા મેળવવા માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. કાયદા હેઠળ છ લઘુમતીઓને નાગરિકતા મળતા જ તેમને મૂળભૂત અધિકારો પણ મળી જશે.

આ બિલ પહેલીવાર ક્યારે આવ્યું

ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું સંશોધિત બિલ સૌપ્રથમવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બિલ લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. 2019ની ચૂંટણીમાં જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2019 માં, સંસદના બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી. આ સમયગાળા દરમિયાન દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. શાહીન બાગ સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ઘણા મહિનાઓ સુધી ચાલ્યા. જો કે, પછી કોરોના રોગચાળાને કારણે બધું ઠંડું પડી ગયું.

ચૂંટણી પહેલા જ CAA લાગુ કરવાની જાહેરાત શા માટે?

લોકસભાની ચૂંટણીને લગભગ ત્રણ મહિના બાકી છે. ચૂંટણીની તારીખ ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે. પહેલા અમિત શાહ અને હવે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે બંગાળની ચૂંટણી સભાઓમાં સમગ્ર દેશમાં CAA લાગુ કરવાની વાત કરી છે.

CAA લાગુ કરવાનું વચન છેલ્લી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે મુખ્ય ચૂંટણી મુદ્દો હતો. ભાજપ માને છે કે CAA તેમના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ વધારી શકે છે અને હિંદુ મતદારોને તેમની પાર્ટી તરફ આકર્ષિત કરી શકે છે. ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં પહેલેથી જ મોટી હિંદુ વસ્તી છે.

બીજેપી CAAને દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટેના પગલા તરીકે રજૂ કરી રહી છે. આ રીતે ભાજપ પોતાને મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, વિપક્ષનો આરોપ છે કે CAA મુસ્લિમ વિરોધી છે અને ભારતીય બંધારણના સમાનતાના નિયમનું ઉલ્લંઘન કરે છે.

આવી સ્થિતિમાં ભાજપ CAAના વિરોધને મુસ્લિમ તુષ્ટિકરણ તરીકે રજૂ કરી શકે છે, જે તેના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને મજબૂત બનાવી શકે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Embed widget