શોધખોળ કરો

પંજશીર હુમલો કરવા આવેલા 350 તાલિબાની આતંકીઓને મરાયા ઠાર, નોર્ધન એલાયન્સે કર્યો દાવો

તાલિબાનના લગભગ 350 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે 40થી વધુને પકડી લેવામાં આવ્યા છે. એનઆરએફને આ દરમિયાન અનેક અમેરિકન વાહનો અને હથિયારો હાથ લાગ્યા છે.

નવી દિલ્હીઃ તાલિબાન એક તરફ દુનિયા સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અને તેનું સંચાલન કરવાનો દાવો કરી રહ્યુ છે પરંતુ બીજી તરફ સતત તાલિબાનના આતંકીઓ પંજશીર વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્વિટર પર નોર્ધર્ન એલાયન્સે દાવો કર્યો હતો કે ગઇ રાત્રે ખાવકમાં હુમલો કરવા આવેલા તાલિબાનના લગભગ 350 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે 40થી વધુને પકડી લેવામાં આવ્યા છે. એનઆરએફને આ દરમિયાન અનેક અમેરિકન વાહનો અને હથિયારો હાથ લાગ્યા છે.

આ અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે મંગળવારે રાત્રે પણ તાલિબાને  પંજશીપમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેનો સામનો નોર્ધર્ન એલાયન્સના ફાઇટર્સ સાથે થયો હતો. સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદા દ્ધારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર અફઘાનિસ્તાનના પંજશીરના પ્રવેશદ્વાર પર ગુલબહાર વિસ્તારમાં તાલિબાનના આતંકીઓ અને નોર્ધર્ન એલાયન્સ વચ્ચે અથડામણ થઇ હતી.

મંગળવારે રાતથી ફરીથી પંજશીરમાં તાલિબાન અને નોર્ધન અલાયન્સ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાને ગોલબહારથી પંજશીરને જોડતા પુલને ઉડાવી દીધો છે. પંજશીરને પરવાન પ્રાંતથી જોડતા માર્ગને બંધ કરી દેવાયો છે. તાલિબાને જાહેર માર્ગોને કન્ટેનરોથી બંધ કરી દીધા છે. સૂત્રોનો દાવો છે કે આ લડાઈમાં અત્યાર સુધી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવ્યા બાદ વ્હાઈટ હાઉસમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પાછા લાવવાનો દાવો કર્યો અને કહ્યું હતું કે હાલમાં ત્યાં લગભગ 100-200 અમેરિકી નાગરિકો ફસાયેલા છે. સૈન્ય પરત બોલાવ્યા બાદ ત્યાં ફસાયેલા અમેરિકી લોકો મુદ્દે જો બાઇડનની ટીકા થઈ રહી હતી.

બાઈડનને જ્યારે આ મુદ્દે સવાલ કરાયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ત્યાં જેટલા પણ અમેરિકી નાગરિકો ફસાયા છે, તેમની પાસે અફઘાનિસ્તાનની નાગરિકતા પણ છે. પહેલાં તેમણે અફઘાનિસ્તાની હોવાની વાતને ટાંકીને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તેઓ અહીં પરત આવવા માગે છે. અફઘાનિસ્તાનમાં જેટલા પણ અમેરિતી હતા તેના 90 ટકા લોકો પરત ફરી ચૂક્યા છે. હવે જે ત્યાં ફસાયેલા છે તેમના માટે કોઇપણ પ્રકારની ડેડલાઈન જેવું નથી, અમે તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget