શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત
![મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત ‘All are alive and all is well’: No damage done in strike, claims JeM મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/16113203/1pakistan-will-not-oppose-masood-azhar-to-declare-international-terrorist.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જૈશના અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે. આ કોલમમાં તેણે દાવો કર્યો છે કે, 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુ સેનાના હવાઈ હુમલામાં કોઈપણ નુકસાન થયું નથી. તેની સાથે જ તેણે કહ્યું કે, તેના તમામ આતંકી સુરક્ષિત છે. તે શારીરિક રીતે સંપૂર્ણ ફીટ છે અને તેને સાબિત કરવા માટે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેની સાથે મુલાકાત કરવાનો પડકાર ફેંક્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ અહેવાલમાં આ જાણકારી સામે આવી છે.
મસૂદ અઝહરે પોતાની કોલમમાં લખ્યું છે કે જૈશને બાલાકોટમાં થયેલા નુકસાન અને તેના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેણે કોલમમાં લખ્યું કે, પણ એવું નથી, પણ તમામ લોકો જીવતા છે અને સુરક્ષિત છે. મસૂદ અઝહરે પોતાની કોલમને સાદી નામથી લખી છે. અઝહરે પોતાની કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે, તે તેની સાથે શૂટિંગ કે તિરંદાજીનો મુકાબલો કરીને એ જોઈ શકે છે કે તે કેટલો ફિટ છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે અઝહર જ અલ કલામમાં પ્રકાશિત કોલમના લેખક છે પરંતુ સાદી અઝહર જાણીતું નીક નેમ છે.
આ કોલમમાં અઝહરે પોતાની અને પોતાના સંગઠનની તુલના તે સમય સાથે કરી છે જે મુસલમાનો માટે પેગંબર મોહમ્મદના સમયમાં હતી. અઝહરે કહ્યું છે કે આદિલ અહમદ ડાર જેવા કાશ્મીરીઓએ જે આગ લગાવી છે તે કોઈ રીતે નહીં બુઝાય. આદિલ અહમદ ડાર જ જૈશનો એ આત્મઘાતી હુમલાખોર હતો જેણે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
અઝહરે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યું. તેણે દાવો કર્યો કે જેમ-જેમ સમય પસાર થશે આઝાદીની લડત સમગ્ર રાજ્યમાં ફેલાશે કારણ કે આવા જ રીતે આવા આંદોલન આગળ વધે છે.
પોતાના સ્વાસ્થ્ય વિશે અઝહરે લખ્યું કે, સંપૂર્ણપણે ફીટ છું. મારી કિડની અને લિવર પણ સરસ રીતે કામ કરે છે. અઝહરના દાવા મુજબ તે 17 વર્ષથી એક વાર પણ હોસ્પિટલ નથી ગયો અને ન તો વર્ષોથી ડોક્ટરની પાસે ગયો છે.
![મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/16113155/3-pakistan-will-not-oppose-masood-azhar-to-declare-international-terrorist.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)