શોધખોળ કરો

મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત

નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જૈશના અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે. આ કોલમમાં તેણે દાવો કર્યો છે કે, 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુ સેનાના હવાઈ હુમલામાં કોઈપણ નુકસાન થયું નથી. તેની સાથે જ તેણે કહ્યું કે, તેના તમામ આતંકી સુરક્ષિત છે. તે શારીરિક રીતે સંપૂર્ણ ફીટ છે અને તેને સાબિત કરવા માટે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેની સાથે મુલાકાત કરવાનો પડકાર ફેંક્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ અહેવાલમાં આ જાણકારી સામે આવી છે. મસૂદ અઝહરે પોતાની કોલમમાં લખ્યું છે કે જૈશને બાલાકોટમાં થયેલા નુકસાન અને તેના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેણે કોલમમાં લખ્યું કે, પણ એવું નથી, પણ તમામ લોકો જીવતા છે અને સુરક્ષિત છે. મસૂદ અઝહરે પોતાની કોલમને સાદી નામથી લખી છે. અઝહરે પોતાની કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે, તે તેની સાથે શૂટિંગ કે તિરંદાજીનો મુકાબલો કરીને એ જોઈ શકે છે કે તે કેટલો ફિટ છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે અઝહર જ અલ કલામમાં પ્રકાશિત કોલમના લેખક છે પરંતુ સાદી અઝહર જાણીતું નીક નેમ છે. મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત આ કોલમમાં અઝહરે પોતાની અને પોતાના સંગઠનની તુલના તે સમય સાથે કરી છે જે મુસલમાનો માટે પેગંબર મોહમ્મદના સમયમાં હતી. અઝહરે કહ્યું છે કે આદિલ અહમદ ડાર જેવા કાશ્મીરીઓએ જે આગ લગાવી છે તે કોઈ રીતે નહીં બુઝાય. આદિલ અહમદ ડાર જ જૈશનો એ આત્મઘાતી હુમલાખોર હતો જેણે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. અઝહરે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યું. તેણે દાવો કર્યો કે જેમ-જેમ સમય પસાર થશે આઝાદીની લડત સમગ્ર રાજ્યમાં ફેલાશે કારણ કે આવા જ રીતે આવા આંદોલન આગળ વધે છે. પોતાના સ્વાસ્થ્ય વિશે અઝહરે લખ્યું કે, સંપૂર્ણપણે ફીટ છું. મારી કિડની અને લિવર પણ સરસ રીતે કામ કરે છે. અઝહરના દાવા મુજબ તે 17 વર્ષથી એક વાર પણ હોસ્પિટલ નથી ગયો અને ન તો વર્ષોથી ડોક્ટરની પાસે ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget