શોધખોળ કરો

UK : ભારત-રશિયાની મિત્રતાનો બદલો લઈ રહ્યું છે બ્રિટન? ખાલિસ્તાન પાછળ પૂર્વ PMનો હાથ?

બોરિસ જોનસન બ્રિટનના વડાપ્રધાન હતા ત્યારે તેમણે ખાલિસ્તાનની માંગ પર બ્રિટનનું વલણ બદલવાનું શરૂ કર્યું હતું. જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે, બ્રિટન ખાલિસ્તાનીઓ માટે અનુકૂળ સ્થળ બની શકે છે.

UK Former PM Boris Johnson : ખાલિસ્તાની અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસની કાર્યવાહી બાદ યુકેની રાજધાની લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાનું અપમાન પણ કરવામાં આવ્યું હતું. પહેલા પાકિસ્તાની અને હવે ખાલિસ્તાની, બ્રિટનમાં ભારત વિરોધી ભારતીય હાઈ કમિશન સતત ભારતીયોને નિશાન બનાવી રહ્યું છે અને બ્રિટિશ પોલીસ આ મામલે માત્ર લીપાપોતી જ કરી રહી છે. બ્રિટનના આ વલણ બાદ ભારતે પણ બ્રિટિશ રાજદ્વારીઓના ઘરની બહાર તૈનાત સુરક્ષામાં તૈનાત ટુકડીમાં ઘટાડો કરી વળતો જવાબ આપ્યો છે. પરંતુ ભારતીય હાઈ કમિશન બહાર થયેલી આ ઘટનાને લઈને સનસની ઘટસ્ફોટ થયો છે જેમાં મોટું સડયંત્ર સામે આવ્યું છે.

એક રિપોર્ટ અનુસાર ખાલિસ્તાન પર બ્રિટનના આ પ્રકારના વલણનો પાયો પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને નાખ્યો હતો. તેનું કારણ યુક્રેન પર હુમલો કર્યા બાદ પણ રશિયા સાથે ભારતની મિત્રતા જાળવી રાખવાનું છે.

એક સમાચાર માધ્યમના અહેવાલ મુજબ, જ્યારે બોરિસ જોનસન બ્રિટનના વડાપ્રધાન હતા ત્યારે તેમણે ખાલિસ્તાનની માંગ પર બ્રિટનનું વલણ બદલવાનું શરૂ કર્યું હતું. જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે, બ્રિટન ખાલિસ્તાનીઓ માટે અનુકૂળ સ્થળ બની શકે છે. વાસ્તવમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતે આ યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલની માંગ કરી હતી. પશ્ચિમી દેશોના દબાણ બાદ પણ ભારતે રશિયન હુમલાની નિંદા કરી નથી. ત્યાર બાદ બોરિસના કાર્યકાળ દરમિયાન બ્રિટન તરફથી એવા સંકેત મળ્યા હતા કે, તે પોતાનું વલણ બદલી રહ્યું છે. જેના કારણે કેનેડા અને જર્મની બાદ હવે બ્રિટન પણ ખાલિસ્તાનીઓનો ગઢ બને તેવી સંભાવના છે.

ખાલિસ્તાની જગતાર સિંહ જોહલનો મુદ્દો ઉઠાવ્યો

યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વર્ષ 2022માં તેની શરૂઆત થઈ હતી. ખાલિસ્તાની જગતાર સિંહ જોહલ પર લગભગ સાડા ચાર વર્ષ સુધી મૌન સાધી રાખ્યા બાદ બોરિસ જોન્સનની બ્રિટિશ સરકારે અચાનક દેશના વિપક્ષી નેતા કીર સ્ટ્રમરને પત્ર લખ્યો હતો. જેમાં બોરિસે કબૂલ્યું હતું કે, ખાલિસ્તાની જોહલને 'ઈરાદાપૂર્વક' ભારતીય જેલમાં રાખવામાં આવ્યો છે અને તેની સામે કોઈ ઔપચારિક આરોપ મૂકવામાં આવ્યો નથી. જોહલની નવેમ્બર 2017માં ભારતમાં પોલીસે ધરપકડ કરી હતી. તેના પર પ્રતિબંધિત આતંકવાદી જૂથ ખાલિસ્તાન લિબરેશન ફોર્સ સાથે સંબંધ હોવાનો આરોપ છે.

જ્હોન્સને તેમના પત્રમાં સ્વીકાર્યું હતું કે, તેમણે આ મામલો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાનગી રીતે ઉઠાવ્યો હતો. બ્રિટને આ પગલું એ જ સમયે લીધું જ્યારે અમેરિકાએ પણ આવું પગલું ભર્યું હતું. 2 જુલાઈ, 2022ના રોજ અમેરિકી ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ કમિશનના કમિશનર ડેવિડ કરીએ ટ્વિટ કર્યું કે, તેમની સંસ્થા ભારતના ધાર્મિક લઘુમતીઓના અવાજને દબાવવા અંગે ચિંતિત છે. અન્ય USCIRF કમિશનર સ્ટીફને પણ ટ્વિટ કર્યું હતું કે, ભારતમાં માનવાધિકાર કાર્યકર્તાઓ, પત્રકારો અને ધાર્મિક નેતાઓ પર ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વિશે બોલવા અને રિપોર્ટિંગ કરવા બદલ અત્યાચાર ગુજારવામાં આવે છે.

પાકિસ્તાન ગયા હતાં બ્રિટનના શીખ સૈનિકો

ગયા વર્ષે 30 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના અમેરિકાના એમ્બેસેડર રશાદ હુસૈને પણ ભારતને નિશાન બનાવ્યું હતું અને પોતાની 'ચિંતા' વર્ણવી હતી. બ્રિટન અને અમેરિકાએ આ પગલાં એવા સમયે લીધા છે જ્યારે ભારત યુક્રેન યુદ્ધ પર પશ્ચિમી દેશોના દબાણ સામે ઝૂક્યું નથી. ભારતે હજુ સુધી રશિયાના હુમલાની નિંદા કરી નથી. ભારતે બિનજોડાણવાદી વલણ અપનાવ્યું છે. ભારત પણ બ્રિક્સનું સભ્ય છે જેમાં રશિયા અને ચીન બંનેનો સમાવેશ થાય છે. આ પહેલા અમેરિકાના ઘણા અધિકારીઓએ પણ ઘણી વખત રશિયાને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

રિપોર્ટ અનુસાર, 29-30 જૂન 2022ના રોજ મેડ્રિડમાં 'ઐતિહાસિક' નાટો સમિટને જાણીજોઈને બોલાવવામાં આવી નહોતી. તેના એક દિવસ પહેલા બ્રિટનની રોયલ એરફોર્સના શીખ સમુદાયના સૈનિકો પાકિસ્તાન ગયા હતા. એટલું જ નહીં 'ડિફેન્સ શીખ નેટવર્ક'નું એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ કમર જાવેદ બાજવાને મળ્યું હતું. 'ડિફેન્સ શીખ નેટવર્ક' દ્વારા, બ્રિટિશ શીખ જવાનો બ્રિટનના સંરક્ષણ મંત્રાલય સમક્ષ તેમનો દૃષ્ટિકોણ ધરાવે છે. બ્રિટિશ સરકારની મંજૂરી વિના આ શક્ય ન હતું. બ્રિટિશ આર્મીમાં ઓછામાં ઓછા 150 શીખ સૈનિકો છે. ગયા વર્ષે 6 જૂને DSNએ સોશિયલ મીડિયામાં ઓપરેશન બ્લૂ સ્ટારનો ઉલ્લેખ કર્યો હતો જે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Embed widget