India-China LAC: પેંગોંગ સરોવર પર એલએસી પાસે ચીન બનાવી રહ્યું છે બીજો પુલ, સેટેલાઇટ તસવીરોથી થયો ખુલાસો
જો કે, આ બીજા પુલ પર ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ચીનની પીએલએ સેના આવવા-જવા માટે અલગ-અલગ પુલ બનાવી રહી છે

ચીનની આર્મીએ પૂર્વ લદ્દાખમાં વિવાદિત પેંગોંગ સરોવર પર બીજા પુલનું નિર્માણ શરૂ કરી દીધું છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ, ડેડ્રસ્ફા (ડેમિન સિમોન) એ સેટેલાઇટ ઇમેજ દ્વારા આ વાત જાહેર કરી છે. જો કે ચીને તેના અધિકારક્ષેત્ર હેઠળના તળાવ પર આ પુલનું નિર્માણ પહેલા પુલની જેમ જ શરૂ કરી દીધું છે, પરંતુ ચિંતાની વાત એ છે કે તે ભારતને અડીને આવેલા એલએસીની એકદમ નજીક બનાવવામાં આવ્યો છે.
ડેટ્રસ્ફા દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો પરથી લાગી રહ્યું છે કે બીજો પુલ પહેલાની બાજુમાં છે. બીજો પુલ પેંગોંગ સરોવરના બંને છેડે એટલે કે ઉત્તર અને દક્ષિણ બંને બાજુથી બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ પહેલાના પુલને અડીને આવેલો છે, જેનું બાંધકામ તાજેતરમાં ચીન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.
જો કે, આ બીજા પુલ પર ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ચીનની પીએલએ સેના આવવા-જવા માટે અલગ-અલગ પુલ બનાવી રહી છે. અથવા કદાચ એક પુલ આર્મી માટે અને બીજો ટેન્ક, આર્મ્ડ પર્સનલ કેરિયર્સ (APCs) અને અન્ય લશ્કરી વાહનો માટે હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખને અડીને આવેલા એલએસી પર ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે ચીનની પીએલએ-સેનાએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં બ્રિજ બનાવવાનું કામ શરૂ કર્યું અને માત્ર પાંચ મહિનામાં તેને બનાવી દીધો. આ પુલનો ખુલાસો પણ ઓપન સોર્સ સેટેલાઇટ ઈમેજીસ દ્ધારા થયો હતો.
વાસ્તવમાં 2019 માં પેંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ બંન્ને તરફ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે વિવાદ થયો હતો. તળાવની ઉત્તરમાં વિવાદિત ફિંગર એરિયા છે, દક્ષિણમાં કૈલાશ હિલ રેન્જ અને રેચિન લા દર્રા છે.
140 કિમી લાંબા પેંગોંગ સરોવરનો લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ 100 કિમી ચીનનો છે. આવી સ્થિતિમાં એક છેડેથી બીજા છેડે જવા માટે ચીનના સૈનિકોને બોટની મદદ લેવી પડે છે અથવા લગભગ 150 કિલોમીટર સુધી આવવું પડે છે. પરંતુ નવા પુલના નિર્માણથી એક છેડેથી બીજા છેડા સુધી પહોંચવું ખૂબ જ સરળ બની ગયું છે. ચીન પોતાના સરહદી વિસ્તારમાં બંને પુલ બનાવી રહ્યું છે.
ગયા વર્ષે ભારતના સંરક્ષણ મંત્રાલયે તેના વાર્ષિક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે પૂર્વી લદ્દાખમાં એલએસીના વિસ્તારોમાં ભારતીય સેનાની તૈનાતી વધારવામાં આવી છે. ઉપરાંત, એલએસીની બીજી બાજુ ચીનના જબરદસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પીએલએની વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ તેના સૈન્ય માળખામાં પુનર્ગઠન સાથે જરૂરી ફેરફારો કર્યા છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















