શોધખોળ કરો

Corona Virus : કોરોના ક્યાં અને કોણે વિકસાવ્યો? વુહાન લેબના સંશોધકનો ધડાકો

આ રોગચાળાએ ચીનના લોકોને ચેપ લગાવ્યો અને ત્યાર બાદ ગણતરીના દિવસોમાં તે દુનિયાના મોટા ભાગના દેશોમાં ફેલાઈ ગયો.

China Covid-19 Bioweapon: ભલે દુનિયાભરમાં કોરોના રોગચાળો (કોવિડ-19 રોગચાળો) ખતમ થવાના આરે હોય પરંતુ આ રોગચાળો એટલો ભયાનક અને રહસ્યમય સાબિત થયો છે કે, તેની ઉત્પત્તિ ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય બની રહી છે. સૌપ્રથમ તો આ રોગચાળાએ ચીનના લોકોને ચેપ લગાવ્યો અને ત્યાર બાદ ગણતરીના દિવસોમાં તે દુનિયાના મોટા ભાગના દેશોમાં ફેલાઈ ગયો. વિશ્વના ઘણા સંશોધકોએ આ રોગચાળા માટે ચીન પર આંગળી ચીંધી તો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ કોરોના (COVID-19 ઓરિજિન્સ)નું મૂળ શોધવા માટે એક ટીમ ચીન મોકલી. જો કે, ચીને તમામ આરોપોને ફગાવી દીધા હતા. ચીનના ઘણા અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યું કે કોરોના અમેરિકાથી ફેલાયો છે.

પરંતુ આ વખતે તો ચીનના ઘરમાંથી જ કોરોનાનો જે દાવો વધુ વિશ્વાસપાત્ર ગણી શકાય. કારણ કે ચીનના વુહાનના એક સંશોધકે દાવો કર્યો છે કે, ચીને જાણીજોઈને કોરોના વાયરસને "બાયોવેપન" તરીકે તૈયાર કર્યો હતો. જાહેર છે કે, વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની થિયરી અનેકવાર સામે આવી ચુકી છે. હવે વુહાન લેબમાં જ કામ કરતા સંશોધકે કરેલા દાવાએ ચીનને બરાબરનું ગાળિયામાં લીધું છે. આ ચોંકાવનારો દાવો ચાઓ શાન દ્વારા ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગ સાથેની એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુમાં કરવામાં આવ્યો હતો, જેઓ ચીન અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ની સીધી જાણકારી ધરાવે છે અને તેની આંતરિક બાબતો પર નજર રાખે છે. ચાઓએ કહ્યું હતું કે, તેમને અને તેમના સાથીદારોને મનુષ્યો સહિત વિવિધ જીવોમાં ફેલાતા સૌથી અસરકારક તાણને ઓળખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ આખું ઈન્ટરવ્યુ જેનિફરે તેના બ્લોગ પર પોસ્ટ કર્યું છે.

ચીની વાઈરોલોજી સંશોધક ચાઓનો ખુલાસો

ઈન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનની સભ્ય જેનિફર ઝેંગે પણ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં માનવાધિકાર કાર્યકર્તાએ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીના સંશોધક ચાઓએ તેને જે કહ્યું તે વર્ણવ્યું છે. જેનિફરના બ્લોગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઇન્ટરવ્યુ સપ્ટેમ્બર 2021માં લેવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ચાઓને 2019માં નાનજિંગ શહેરમાં તેના ઉપરી દ્વારા કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. આ ચાર સ્ટ્રેઈન એટલે આપવામાં આવ્યા હતાં કે, તેમાં સૌથી વધુ વાયરલ અને ચેપી કયો છે.

વર્લ્ડ મિલિટરી ગેમ્સ-2019 દરમિયાન કરાયા હતાં ખતરનાક પ્રયોગો

ચાઓએ માનવ ACE2 રીસેપ્ટર, ચામાચીડિયા અને વાંદરાઓ પર વાયરસનું પરીક્ષણ કર્યું હતું. ચાઓએ કોરોના વાયરસને "બાયોવેપન" પણ કહ્યો છે જેનો અર્થ જૈવિક શસ્ત્ર છે. તેણે 26 મિનિટની મુલાકાતમાં એ પણ જણાવ્યું કે, વુહાનમાં આયોજિત વર્લ્ડ મિલિટરી ગેમ્સ-2019 દરમિયાન તેના ઘણા સાથીદારો ગુમ થઈ ગયા હતા. પાછળથી તેમાંથી એકે ખુલાસો કર્યો હતો કે, તેઓને એવી હોટલોમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં વિવિધ દેશોના એથ્લેટ્સ "સ્વાસ્થ્ય અથવા સ્વચ્છતાની સ્થિતિ તપાસવા" માટે રોકાયા હતા. વાઇરોલોજિસ્ટને સ્વચ્છતા માટે તપાસ કરવાની જરૂર ન હોવાથી ચાઓ શાનને શંકા છે કે, તેમને વાયરસ ફેલાવવા માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચાઓના દાવા પર ટિપ્પણી કરતા જેનિફરે કહ્યું હતું કે, આ ઘટના સમગ્ર કોયડાનો માત્ર એક નાનકડો ભાગ છે.

આજે પણ આ રોગચાળો તપાસનો વિષય

અત્યાર સુધી રોગચાળાનું સાચું મૂળ, જેણે વિશ્વભરમાં લગભગ 7 મિલિયન કે તેથી વધુ લોકોના મોત નીપજ્યાં છે તે હજુ પણ તપાસનો વિષય છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget