શોધખોળ કરો

અમેરિકા-ભારત સંબંધોમાં ખટાશ: ટ્રમ્પ નવેમ્બરમાં ભારતમાં યોજાનારી Quad સમિટમાં નહીં આવે, ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન તણાવમાં પોતાની મધ્યસ્થી અને નોબેલ પુરસ્કાર માટેના નોમિનેશનની વાતચીત બાદ PM મોદી સાથેના સંબંધો બગાડ્યા છે.

Donald Trump cancels India visit: નવેમ્બર, 2025 માં ભારતમાં યોજાનારી Quad (Quadrilateral Security Dialogue) સમિટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભાગ નહીં લે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, ભારત-પાકિસ્તાન તણાવ અને નોબેલ પુરસ્કારને લઈને ટ્રમ્પ અને PM મોદી વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી છે, જેના કારણે ટ્રમ્પે પોતાની ભારત મુલાકાત રદ કરી છે. આ અહેવાલ દર્શાવે છે કે બંને નેતાઓ વચ્ચે વ્યક્તિગત અને રાજકીય સ્તરે ગંભીર મતભેદો ઉભા થયા છે, જેણે વેપાર સંબંધો પર પણ નકારાત્મક અસર કરી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન તણાવમાં પોતાની મધ્યસ્થી અને નોબેલ પુરસ્કાર માટેના નોમિનેશનની વાતચીત બાદ PM મોદી સાથેના સંબંધો બગાડ્યા છે. આ કડવાશને કારણે જ ટ્રમ્પે નવેમ્બરમાં ભારતમાં યોજાનારી Quad સમિટમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત જૂનમાં થયેલા એક ફોન કોલથી થઈ હતી, જેમાં PM મોદીએ ટ્રમ્પના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. આ પછી, ટ્રમ્પે ભારત પર 50% સુધીના આકરા ટેરિફ લાદ્યા હતા, જેનાથી બંને દેશોના સંબંધો વધુ બગડ્યા છે.

ટ્રમ્પની અપેક્ષાઓ અને મોદીનો સ્પષ્ટ જવાબ

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટનાનો પાયો 17 જૂનના રોજ PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલા ફોન કોલમાં નંખાયો. આ કોલમાં ટ્રમ્પે વારંવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં પોતાની મધ્યસ્થીનો દાવો કર્યો. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાન તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી રહ્યું છે અને આડકતરી રીતે ભારત પાસેથી પણ આવી જ અપેક્ષા રાખી.

PM મોદીએ આ વાતથી નારાજગી વ્યક્ત કરી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી. ભારતે હંમેશાથી દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ પોતાના પડોશી દેશો સાથેના મુદ્દાઓ ઉકેલ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં.

ટ્રમ્પના દાવાઓને નકારવામાં આવતાં, તેમના અને PM મોદી વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી. આ કડવાશનું પરિણામ એ આવ્યું કે ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ લાદ્યા. અહેવાલ મુજબ, તેમણે માત્ર ભારત-પાકિસ્તાન તણાવનો અંત લાવવાનો દાવો જ ન કર્યો, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો, જે કુલ 50% થયો.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના નિષ્ણાત રિચાર્ડ રોસોના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે આ ટેરિફ ફક્ત રશિયાને દબાવવા માટે નહોતા, પરંતુ તે ભારતને વ્યક્તિગત રીતે નિશાન બનાવવા માટે હતા. આ ઘટનાક્રમ બાદ PM મોદીએ ટ્રમ્પના ટેરિફ વાટાઘાટો માટેના પ્રયાસોનો પણ જવાબ આપ્યો નહોતો, જેનાથી બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં અંતર સ્પષ્ટ દેખાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
Embed widget