શોધખોળ કરો

 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’

જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં અપનાવવામાં આવી હતી

વિદેશ મંત્રી એસ જયશંકરે લંડનમાં કહ્યું છે કે પાકિસ્તાને ભારત પાસેથી જે હિસ્સો (POK) ચોરી લીધો છે તે હવે પરત આવે તેની રાહ જોવામાં આવી રહી છે. તે ભાગ ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ રીતે શાંતિ સ્થાપિત થઈ જશે.

તેમણે ખીણમાં શાંતિ સ્થાપિત કરવાનો ફોર્મુલા બતાવતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં અપનાવવામાં આવી હતી. તેમણે આ તમામ વાત લંડનના થિંક ટેન્ક ચૈથમ હાઉસ ખાતે 'ભારતનો ઉદય અને વિશ્વમાં ભૂમિકા' વિષય પર બોલતા કહી હતી.

લંડનમાં ચર્ચા દરમિયાન એક વ્યક્તિએ વિદેશમંત્રી એસ.જયશંકરને કાશ્મીરના ઉકેલ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આનો જવાબ આપતાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 'કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ કલમ 370 દૂર કરવામાં આવી. આ પહેલું પગલું હતું. આ પછી બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું સારા મતદાન ટકાવારી સાથે મતદાન કરાવવાનું હતું.

વધુમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના તે ભાગની પરત ફરવાનો છે જે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન દ્વારા ચોરી લેવામાં આવ્યો છે.' જ્યારે આ થઇ જશે ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.

આ પહેલા દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે હું PoK વિશે એટલું જ કહી શકું છું કે સંસદમાં એક પ્રસ્તાવ છે, આ દેશની તમામ રાજકીય પક્ષ એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે પીઓકે, જે ભારતનો ભાગ છે. તે ભારતમાં પાછો આવી જાય. આ અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget