શોધખોળ કરો

શ્રીલંકા સંકટ : સંસદમાં માત્ર એક બેઠક ધરાવનાર પાર્ટીના આ મોટા નેતા બનશે શ્રીલંકાના વડાપ્રધાન

Sri Lanka Crisis : સમાચાર અનુસાર, વિક્રમસિંઘે ગુરુવાર અથવા શુક્રવારે નવા વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.

Colombo : શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં માત્ર એક જ સીટ ધરાવતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. દેશમાં મોટા આર્થિક સંકટ વચ્ચે ગુરુવારે સમાચારમાં આવો દાવો કરવામાં આવ્યો હતો.

73 વર્ષીય યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP)ના નેતાએ બુધવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે વાત કરી હતી અને ગુરુવારે તેઓ ફરીથી મળવાની શક્યતા છે. 'કોલંબો પેજ' અખબારે આ સમાચાર પ્રકાશિત કર્યા છે.

શ્રીલંકાના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને ઓક્ટોબર 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. જો કે બે મહિના પછી સિરીસેનાએ તેમને ફરીથી વડાપ્રધાન બનાવ્યા.

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP), વિરોધ પક્ષ સામગી જના બાલવેગયા (SJB) અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેની બહુમતી સાબિત કરવા માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું છે, એમ પેપરમાં લખ્યું છે.

સમાચાર અનુસાર, વિક્રમસિંઘે ગુરુવાર અથવા શુક્રવારે નવા વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. UNPના પ્રમુખ વી અબેવર્દેનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિક્રમસિંઘે નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા પછી તેઓ બહુમતી પ્રાપ્ત કરશે.

દેશની સૌથી જૂની પાર્ટી, UNP 2020માં છેલ્લી સંસદીય ચૂંટણીમાં માત્ર એક જ સીટ જીતી શકી હતી.


પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનનો બંગલો સળગાવી દીધો 
શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમનું રાજીનામું સુપરત કર્યાના કલાકો પછી શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં કુરુનેગાલામાં તેમના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું, સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો હતો.

દેશ હાલમાં વધતી જતી નાગરિક અશાંતિ અને વિનાશક આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યો છે.

સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ  મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી.

 

 

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રને તેમના ટેલિવિઝન સંદેશમાં પદ છોડવાનો ઇનકાર કર્યો હતો પરંતુ નવા વડાપ્રધાન અને આ અઠવાડિયે યુવા કેબિનેટની રચનાનું વચન આપ્યું હતું.



વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget