ફ્રાન્સમાં મોટી રાજકીય ઉથલપાથલ, પ્રધાનમંત્રી સેબેસ્ટિયન લેકોર્નૂએ આપ્યું રાજીનામું
ફ્રાન્સમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. પ્રધાનમંત્રી સેબેસ્ટિયન લેકોર્નુએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.

French PM Sebastien Lecornu Resigns: ફ્રાન્સમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. પ્રધાનમંત્રી સેબેસ્ટિયન લેકોર્નુએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે સેબેસ્ટિયનના રાજીનામાની પુષ્ટિ કરી છે. લેકોર્નુએ એક દિવસ પહેલા જ તેમના મંત્રીમંડળની જાહેરાત કરી હતી અને એક મહિના કરતા પણ ઓછા સમય માટે તેઓ પદ પર રહ્યા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લેકોર્નુનું રાજીનામું સ્વીકાર્યું છે. લેકોર્નુ એક વર્ષમાં ફ્રાન્સના ચોથા વડા પ્રધાન બન્યા તેમના પુરોગામી ફ્રાંસ્વા બાયરુનું સ્થાન લીધું.
ફ્રાન્સમાં રાજકીય સંકટ ઓછુ થવાના કોઈ સંકેત દેખાતા નથી. ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે રાજીનામું આપ્યું, તેમના નવા મંત્રીમંડળની નિમણૂક કર્યાના થોડા કલાકો પછી. સાથી પક્ષો અને વિરોધીઓ બંને તરફથી તેમની સરકાર ઉથલાવી પાડવાની ધમકીઓ વચ્ચે તેમણે રાજીનામું આપ્યું હોવાના અહેવાલ છે.
રાજકીય વર્તુળોમાં લેકોર્નુની ટીકા
રાજકીય વર્તુળોમાં લેકોર્નુની મંત્રી પસંદગીની ટીકા થઈ હતી ખાસ કરીને ભૂતપૂર્વ નાણામંત્રી બ્રુનો લે મેયરને સંરક્ષણ મંત્રાલયમાં પાછા લાવવાના તેમના નિર્ણયની. અગાઉના મંત્રીમંડળમાંથી અન્ય મુખ્ય હોદ્દાઓ મોટાભાગે યથાવત રહ્યા. રૂઢિચુસ્ત બ્રુનો રિતાઇલો આંતરિક મંત્રી બની રહ્યા, જે પોલીસ અને આંતરિક સુરક્ષાના પ્રભારી હતા, જીન-નોએલ બારોત વિદેશ મંત્રી રહ્યા જ્યારે ગેરાલ્ડ ડર્મૈનિન ન્યાય મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો.
French Prime Minister Sébastien Lecornu resigns after less than a month in office as his cabinet faces criticism across the political spectrum. https://t.co/iVkjTLmd2I
— The Associated Press (@AP) October 6, 2025
વિરોધીઓએ મેક્રોનને ઘેરી લીધા
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વિરોધીઓએ આ આઘાતજનક રાજીનામાનો તાત્કાલિક લાભ લેવાનો પ્રયાસ કર્યો છે અને દક્ષિણપંથી નેશનલ રૈલીએ તેમને નવી ચૂંટણી કરાવવા અથવા રાજીનામું આપવા આહ્વાન કર્યું છે. જ્યારે વામપંથી પાર્ટી ફ્રાન્સ અનબોડે પણ મેક્રોનના રાજીનામાની માંગ કરી છે.
ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ વધી છે
ફ્રેન્ચ રાજકારણ છેલ્લા કેટલાક સમયથી અશાંત રહ્યું છે, ખાસ કરીને ગયા વર્ષે મેક્રોને ત્વરિત ચૂંટણીઓની જાહેરાત કરી ત્યારથી, જેના કારણે વિધાનસભામાં ભારે વિભાજન થયું છે. દક્ષિણપંથી અને વામપંથી સાંસદો પાસે રાષ્ટ્રીય સભામાં 320 થી વધુ બેઠકો ધરાવે છે, જ્યારે મધ્યમાર્ગી અને સહયોગી રૂઢિવાદિયો 210 બેઠકો ધરાવે છે.




















