શોધખોળ કરો

પાકિસ્તાનઃ કરાંચી-રાવલપિંડી એક્સપ્રેસમાં સિલિન્ડર બ્લાસ્ટ, 65 લોકોના મોત

આ દુર્ઘટનામાં 65 લોકોના મોત થયા હતા જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

કરાંચીઃ પાકિસ્તાનમાં ગુરુવારે કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાન પાસે થઇ હતી. રેલવે અધિકારીઓના મતે જમવાનું બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને  કારણે ત્રણ કોચમાં આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટનામાં 65 લોકોના મોત થયા હતા જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને મુલતાનના બીવીએચ બહાવલપુર અને પાકિસ્તાન ઇટાલિયન મોડર્ન બર્ન સેન્ટરમાં  ભરતી કરવામાં  આવ્યા છે. રેલવે મંત્રી શેખ રશિદે કહ્યું કે સિલિન્ડર ફાટ્યા બાદ ત્રણ ડબ્બામાં આગ ફેલાઈ હતી. રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશ્નર જમીલ અહમદના જણાવ્યા મુજબ, હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. સેનાના હેલિકોપ્ટરને પણ રેસ્કયુમાં લગાવવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ગુરુવારે  સવારે આ બ્લાસ્ટમાં  ઇકોનોમી ક્લાસના બે કોચમાં આગ લાગી હતી જે બાદમાં એક બિઝનેસ ક્લાસ કોચ સુધી ફેલાઇ હતી. જીવ બચાવવા માટે અનેક લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદે કહ્યું કે, આગ એક સિલિન્ડર બ્લાસ્ટના કારણે લાગી હતી. મુસાફરો સવારે નાસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. રાશિદે કહ્યું કે, ટ્રેકને બે કલાકની અંદર ફરીથી કાર્યરત કરી દેવાયો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને  અધિકારીઓને ઇજાગ્રસ્તોને મેડિકલ સારવાર આપવાના  નિર્દેશ આપ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Embed widget