શોધખોળ કરો

General Knowledge: જે ક્રોસ પર ઈસુને ચઢાવવામાં આવ્યા હતા વધસ્તંભે, તે હવે ક્યાં છે?

ઇGeneral Knowledge: તિહાસકારો કહે છે કે લાંબા સંઘર્ષો અને લૂંટફાટને કારણે ટ્રુ ક્રોસના ઘણા ટુકડાઓ ખોવાઈ ગયા છે, પરંતુ કેટલાક મોટા ટુકડાઓ આજે પણ ટકી રહ્યા છે અને ખ્રિસ્તી ધર્મના મહત્વપૂર્ણ સ્થળોએ રાખવામાં આવ્યા છે.

Good Friday 2025:  'ગુડ ફ્રાઈડે' ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે એક પવિત્ર અને ભાવનાત્મક દિવસ છે. એવું કહેવાય છે કે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવ્યા પછી, તેમનું મૃત્યુ શુક્રવારે થયું હતું. તેમની યાદમાં, ઇસ્ટર પહેલાના શુક્રવારે 'ગુડ ફ્રાઈડે' ઉજવવામાં આવે છે. આ વખતે ગુડ ફ્રાઈડે ૧૮ એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ચર્ચોમાં પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે.

જોકે, ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ હંમેશા રહસ્ય રહ્યું. તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેમના મૃત્યુના થોડા દિવસો પછી, ઈસુ ખ્રિસ્ત ફરીથી સજીવન થયા અને તેમના અનુયાયીઓને મળ્યા, જે દિવસે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા તે દિવસને ઇસ્ટર તરીકે ઉજવવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે, જે ક્રોસ પર ઈસુ ખ્રિસ્તને લટકાવવામાં  આવ્યા હતા તે ક્યાં છે? 

ઈસુ ખ્રિસ્તને શા માટે વધસ્તંભે જડવામાં આવ્યા હતા?

ગુડ ફ્રાઈડેનો ઇતિહાસ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે કેટલાક યહૂદી ધાર્મિક નેતાઓએ રોમન શાસક પિલાતુલને ફરિયાદ કરી હતી કે ઈસુ પોતાને ભગવાનનો પુત્ર કહે છે અને લોકોને પોતાના પક્ષમાં લઈ રહ્યા છે. આ ફરિયાદ પછી, ઈસુ ખ્રિસ્ત પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. તેને રોમન સૈનિકોએ પકડી લીધા, ત્યારબાદ તેને ઘણી વખત ત્રાસ આપવામાં આવ્યો અને બાદમાં તેને ક્રોસ પર લટકાવવામાં આવ્યા અને તેમનું મૃત્યુ થયું.

ઈસુ ખ્રિસ્તને કયા લટકાવવામાં આવ્યા હતા?

એવું કહેવાય છે કે રોમન શાસક પિલાતુલના આદેશ પર ઈસુ ખ્રિસ્તની જેરુસલેમમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી અને જે ક્રોસ પર તેને વધસ્તંભે જડવાના હતા તે ક્રોસ ઈસુ પોતે જેરુસલેમના ગોલગોથા પર્વત પર લઈ ગયા હતા. ઈસુ ખ્રિસ્તને તે જ જગ્યાએ વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે ક્રોસ મૂક્યો હતો. રોમન સમ્રાટના આદેશથી ઈસુ ખ્રિસ્તની સાથે, બે વધુ લોકોને વધસ્તંભે જડવામાં આવ્યા હતા.

ક્રોસ હવે ક્યાં છે?

ઈસુ ખ્રિસ્તને જે ક્રોસ પર ફાંસી આપવામાં આવી હતી તેના વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. જોકે, સૌથી પ્રચલિત વાર્તા એ છે કે ક્રોસની શોધ રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનની માતા હેલેના દ્વારા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા, ત્યારે તેમના મૃત્યુ પછી રોમન સૈનિકોએ ક્રોસને એક ઊંડા ખાડામાં ફેંકી દીધો અને તેના અનુયાયીઓને તે ન મળે તે માટે તેને પથ્થરો અને માટીથી ઢાંકી દીધો. લગભગ 300 વર્ષ પછી, હેલેનાના આદેશ પર, તે સ્થળનું ખોદકામ કરવામાં આવ્યું, જ્યાં ત્રણ ક્રોસ મળી આવ્યા, પરંતુ પ્રશ્ન એ હતો કે, ત્રણમાંથી 'સાચો ક્રોસ(True Cross)' કયો હતો? એ જાણવા માટે, હેલેનાએ ત્રણેય ક્રોસ એક પછી એક બીમાર સ્ત્રીને સ્પર્શ કરવા માટે આપ્યા. જે ક્રોસને સ્ત્રીએ સ્પર્શ કર્યો અને તે સાજી થઈ તે સાચો ક્રોસ માનવામાં આવતો હતો. આ ક્રોસનો એક ભાગ રોમ લઈ જવામાં આવ્યો હતો અને બીજો જેરુસલેમમાં રહ્યો.

ક્રોસ ઘણી વખત લૂંટાયો હતો

એવું કહેવાય છે કે ક્રોસનો એક ભાગ લાંબા સમય સુધી જેરુસલેમમાં રહ્યો. ૬૧૫ એડીમાં, પર્શિયન સમ્રાટ ખોસરો બીજાએ જેરુસલેમ પર કબજો કર્યો અને સાચા ક્રોસનો કબજો મેળવ્યો. ઘણા વર્ષોના સંઘર્ષ પછી ક્રોસ જેરુસલેમ પાછો ફર્યો. આ પછી પણ, આ ક્રોસ ઘણી લડાઈઓમાં લૂંટાઈ ગયો અને તેના ઘણા ભાગો જ્યાં ત્યાં વેંચાઈ ગયા. ઇતિહાસકારો કહે છે કે લાંબા સંઘર્ષો અને લૂંટફાટને કારણે ટ્રુ ક્રોસના ઘણા ટુકડાઓ ખોવાઈ ગયા છે, પરંતુ કેટલાક મોટા ટુકડાઓ આજે પણ ટકી રહ્યા છે અને ખ્રિસ્તી ધર્મના મહત્વપૂર્ણ સ્થળોએ રાખવામાં આવ્યા છે. તેના ત્રણ ટુકડા રોમમાં સાન્ટા ક્રોસમાં આવેલા કેપ્પેલો ડેલે રેલિકીમાં સચવાયેલા છે. આ ટુકડો પેરિસના નોટ્રે ડેમમાં સેન્ટ ચેપલ ચર્ચમાં મૂકવામાં આવ્યો હતો. તેવી જ રીતે, તેનો એક અવશેષ ફ્લોરેન્સના સાન્ટા મારિયા ડેલ ફિઓરના ડ્યુઓમો ઓપેરા મ્યુઝિયમમાં પણ રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
US Iran Conflict: હોર્મુઝ પર તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો હુમલો, ડ્રોન પણ તોડી પાડ્યા
US Iran Conflict: હોર્મુઝ પર તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો હુમલો, ડ્રોન પણ તોડી પાડ્યા

વિડિઓઝ

Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : બે સિસ્ટમ એક્ટિવ થતાં, 8 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather : બે સિસ્ટમ એક્ટિવ થતાં, 8 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
ગરીબ બાળકો માટે મોટી રાહત, સરકાર આપી રહી છે દર વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ, જાણો કેવી રીતે મળશે લાભ
ગરીબ બાળકો માટે મોટી રાહત, સરકાર આપી રહી છે દર વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ, જાણો કેવી રીતે મળશે લાભ
AC ખરીદતી વખતે રૂમની સાઈઝનું રાખો ખાસ ધ્યાન, જાણો તમારા રુમ માટે કેટલા ટનનું એસી લેવું જોઈએ
AC ખરીદતી વખતે રૂમની સાઈઝનું રાખો ખાસ ધ્યાન, જાણો તમારા રુમ માટે કેટલા ટનનું એસી લેવું જોઈએ
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
Embed widget