શોધખોળ કરો

General Knowledge: જે ક્રોસ પર ઈસુને ચઢાવવામાં આવ્યા હતા વધસ્તંભે, તે હવે ક્યાં છે?

ઇGeneral Knowledge: તિહાસકારો કહે છે કે લાંબા સંઘર્ષો અને લૂંટફાટને કારણે ટ્રુ ક્રોસના ઘણા ટુકડાઓ ખોવાઈ ગયા છે, પરંતુ કેટલાક મોટા ટુકડાઓ આજે પણ ટકી રહ્યા છે અને ખ્રિસ્તી ધર્મના મહત્વપૂર્ણ સ્થળોએ રાખવામાં આવ્યા છે.

Good Friday 2025:  'ગુડ ફ્રાઈડે' ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે એક પવિત્ર અને ભાવનાત્મક દિવસ છે. એવું કહેવાય છે કે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવ્યા પછી, તેમનું મૃત્યુ શુક્રવારે થયું હતું. તેમની યાદમાં, ઇસ્ટર પહેલાના શુક્રવારે 'ગુડ ફ્રાઈડે' ઉજવવામાં આવે છે. આ વખતે ગુડ ફ્રાઈડે ૧૮ એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ચર્ચોમાં પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે.

જોકે, ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ હંમેશા રહસ્ય રહ્યું. તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેમના મૃત્યુના થોડા દિવસો પછી, ઈસુ ખ્રિસ્ત ફરીથી સજીવન થયા અને તેમના અનુયાયીઓને મળ્યા, જે દિવસે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા તે દિવસને ઇસ્ટર તરીકે ઉજવવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે, જે ક્રોસ પર ઈસુ ખ્રિસ્તને લટકાવવામાં  આવ્યા હતા તે ક્યાં છે? 

ઈસુ ખ્રિસ્તને શા માટે વધસ્તંભે જડવામાં આવ્યા હતા?

ગુડ ફ્રાઈડેનો ઇતિહાસ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે કેટલાક યહૂદી ધાર્મિક નેતાઓએ રોમન શાસક પિલાતુલને ફરિયાદ કરી હતી કે ઈસુ પોતાને ભગવાનનો પુત્ર કહે છે અને લોકોને પોતાના પક્ષમાં લઈ રહ્યા છે. આ ફરિયાદ પછી, ઈસુ ખ્રિસ્ત પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. તેને રોમન સૈનિકોએ પકડી લીધા, ત્યારબાદ તેને ઘણી વખત ત્રાસ આપવામાં આવ્યો અને બાદમાં તેને ક્રોસ પર લટકાવવામાં આવ્યા અને તેમનું મૃત્યુ થયું.

ઈસુ ખ્રિસ્તને કયા લટકાવવામાં આવ્યા હતા?

એવું કહેવાય છે કે રોમન શાસક પિલાતુલના આદેશ પર ઈસુ ખ્રિસ્તની જેરુસલેમમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી અને જે ક્રોસ પર તેને વધસ્તંભે જડવાના હતા તે ક્રોસ ઈસુ પોતે જેરુસલેમના ગોલગોથા પર્વત પર લઈ ગયા હતા. ઈસુ ખ્રિસ્તને તે જ જગ્યાએ વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે ક્રોસ મૂક્યો હતો. રોમન સમ્રાટના આદેશથી ઈસુ ખ્રિસ્તની સાથે, બે વધુ લોકોને વધસ્તંભે જડવામાં આવ્યા હતા.

ક્રોસ હવે ક્યાં છે?

ઈસુ ખ્રિસ્તને જે ક્રોસ પર ફાંસી આપવામાં આવી હતી તેના વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. જોકે, સૌથી પ્રચલિત વાર્તા એ છે કે ક્રોસની શોધ રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનની માતા હેલેના દ્વારા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા, ત્યારે તેમના મૃત્યુ પછી રોમન સૈનિકોએ ક્રોસને એક ઊંડા ખાડામાં ફેંકી દીધો અને તેના અનુયાયીઓને તે ન મળે તે માટે તેને પથ્થરો અને માટીથી ઢાંકી દીધો. લગભગ 300 વર્ષ પછી, હેલેનાના આદેશ પર, તે સ્થળનું ખોદકામ કરવામાં આવ્યું, જ્યાં ત્રણ ક્રોસ મળી આવ્યા, પરંતુ પ્રશ્ન એ હતો કે, ત્રણમાંથી 'સાચો ક્રોસ(True Cross)' કયો હતો? એ જાણવા માટે, હેલેનાએ ત્રણેય ક્રોસ એક પછી એક બીમાર સ્ત્રીને સ્પર્શ કરવા માટે આપ્યા. જે ક્રોસને સ્ત્રીએ સ્પર્શ કર્યો અને તે સાજી થઈ તે સાચો ક્રોસ માનવામાં આવતો હતો. આ ક્રોસનો એક ભાગ રોમ લઈ જવામાં આવ્યો હતો અને બીજો જેરુસલેમમાં રહ્યો.

ક્રોસ ઘણી વખત લૂંટાયો હતો

એવું કહેવાય છે કે ક્રોસનો એક ભાગ લાંબા સમય સુધી જેરુસલેમમાં રહ્યો. ૬૧૫ એડીમાં, પર્શિયન સમ્રાટ ખોસરો બીજાએ જેરુસલેમ પર કબજો કર્યો અને સાચા ક્રોસનો કબજો મેળવ્યો. ઘણા વર્ષોના સંઘર્ષ પછી ક્રોસ જેરુસલેમ પાછો ફર્યો. આ પછી પણ, આ ક્રોસ ઘણી લડાઈઓમાં લૂંટાઈ ગયો અને તેના ઘણા ભાગો જ્યાં ત્યાં વેંચાઈ ગયા. ઇતિહાસકારો કહે છે કે લાંબા સંઘર્ષો અને લૂંટફાટને કારણે ટ્રુ ક્રોસના ઘણા ટુકડાઓ ખોવાઈ ગયા છે, પરંતુ કેટલાક મોટા ટુકડાઓ આજે પણ ટકી રહ્યા છે અને ખ્રિસ્તી ધર્મના મહત્વપૂર્ણ સ્થળોએ રાખવામાં આવ્યા છે. તેના ત્રણ ટુકડા રોમમાં સાન્ટા ક્રોસમાં આવેલા કેપ્પેલો ડેલે રેલિકીમાં સચવાયેલા છે. આ ટુકડો પેરિસના નોટ્રે ડેમમાં સેન્ટ ચેપલ ચર્ચમાં મૂકવામાં આવ્યો હતો. તેવી જ રીતે, તેનો એક અવશેષ ફ્લોરેન્સના સાન્ટા મારિયા ડેલ ફિઓરના ડ્યુઓમો ઓપેરા મ્યુઝિયમમાં પણ રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
Embed widget