શોધખોળ કરો

અમેરિકામાં ન્યૂયોર્ક પછી હવે કેલિફોર્નિયામાં હિંદુ મંદિર પર હુમલો, લખ્યું - 'હિંદુઓ પાછા જાઓ'

કેલિફોર્નિયામાં હવે હિંદુ ધર્મસ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરમાં હિંદુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા. ઉપદ્રવીઓએ 'હિંદુઓ પાછા જાઓ' લખી દીધું.

અમેરિકામાં એક વાર ફરી મંદિરને નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. 10 દિવસમાં આ બીજો મોકો છે જ્યારે હિંદુ ધર્મસ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે. તાજેતરનો કિસ્સો કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીનો છે. સેક્રામેન્ટો માથેર એરપોર્ટના દક્ષિણમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે હિંદુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા. ઉપદ્રવીઓએ 'હિંદુઓ પાછા જાઓ' લખી દીધું. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ આપત્તિજનક શબ્દો લખેલા મળી આવ્યા.

સ્થાનિક અધિકારીઓને જ્યારે આ વાતની જાણકારી મળી ત્યારે તેમણે ઘટનાસ્થળે જઈને તપાસ કરી. તેમણે જોયું કે મંદિર સાથે જોડાયેલી પાઈપલાઈનને પણ કાપી નાખવામાં આવી છે. આ પહેલા ન્યૂયોર્કમાં પણ સ્વામિનારાયણ મંદિરમાં આવી ઘટના બની હતી.

અમેરિકામાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે BAPS Public Affairs એ 'એક્સ' પર લખ્યું, "છેલ્લા 10 દિવસમાં ન્યૂયોર્ક, સેક્રામેન્ટો અને CA ક્ષેત્રમાં અમારા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ગઈ રાત્રે પણ હિંદુ વિરોધી નારા લખીને અપવિત્ર કરવાનો પ્રયાસ થયો."

ઘટના અંગે અમેરિકી સાંસદ રો ખન્નાએ કહ્યું કે હિંદુ અમેરિકનો પ્રત્યે આ પ્રકારની નફરત અને બર્બરતા ભયાવહ અને નૈતિક રીતે ખોટી છે. ન્યાય વિભાગે આ ઘૃણા અપરાધોની તપાસ કરવી જોઈએ, અને જવાબદાર લોકોને કાયદા હેઠળ સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવા જોઈએ.

સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફના સાર્જન્ટ અમર ગાંધીએ કહ્યું, "અમારી પાસે અમારી યુનિટના જાસૂસો છે, જે અહીં બધા હેટ ક્રાઇમની તપાસ કરે છે." તેમણે આગળ કહ્યું, "અમારી પાસે રાજ્ય અને સંઘીય ભાગીદારો આવી રહ્યા છે. આ કોઈ એવી વસ્તુ નથી જે દબાઈ જશે કે ગાયબ થઈ જશે. જેણે પણ આ

કર્યું છે તેને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જો તમે આ કર્યું હોય તો તમારી જાતને મુશ્કેલીથી બચાવો અને જાતે જ સામે આવી જાઓ." મંદિરમાં બુધવારે ચૂંટાયેલા અધિકારીઓ, કાયદા અમલીકરણ અને સમુદાયના સભ્યો સાથે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું.

આ પહેલા આ વર્ષે 17 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ BAPS સ્વામિનારાયણ મંદિરની તોડફોડની નિંદા કરી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવી હતી. ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરના અનાદરની નિંદા કરી હતી અને સત્તાવાળાઓ પાસેથી જવાબદારીની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ

દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, ગયા વર્ષે 180000000થી વધુ પ્રવાસીઓ આવ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝSurat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહીBhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું
Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો
બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી
બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી
Embed widget