શોધખોળ કરો

ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?

Iran Israel US War: અમેરિકા અને ઈઝરાયલી સંયુક્ત હુમલાઓ બાદ, ઈરાનમાં શાસન પરિવર્તન અંગે ચર્ચા શરૂ થઈ છે. ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને જામકરણ મસ્જિદ પર લાલ ધ્વજ ફરકાવ્યો.

Iran Israel US War: અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ પછી ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દરમિયાન ઈરાનની જામકરન મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં છે, જે ધાર્મિક અને રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાને આ મસ્જિદના ગુંબજ પર લાલ ઝંડો ફરકાવ્યો છે. ખામેનીના મૃત્યુ પછી ન્યાય અને પ્રતિશોધ (બદલા)ના પ્રતીક તરીકે આ ઝંડો ફરકાવવામાં આવ્યો છે. શિયા પરંપરામાં તેને શહાદત અને અન્યાય વિરુદ્ધ સંઘર્ષના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

જામકરન મસ્જિદ પર લાલ ઝંડાનો અર્થ

જામકરન મસ્જિદ પર લગાવવામાં આવેલો આ લાલ ઝંડો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ખામેનીના સમર્થકોમાં વધતા ગુસ્સા અને બદલાની ભાવનાને દર્શાવે છે. તેહરાનમાં થયેલા એરસ્ટ્રાઈકમાં ખામેનીનું મૃત્યુ થયું હતું. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ હવે એ સવાલ ઊભો થયો છે કે શું આ કાર્યવાહી માત્ર સૈન્ય દબાણ છે કે ઈરાનમાં સત્તા પરિવર્તનની શરૂઆત.

અમેરિકાએ UNમાં પોતાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ઈરાન વિરુદ્ધની પોતાની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું કે, અમેરિકાના સાથી દેશોની સુરક્ષા શરતો પર નિર્ભર નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક દરમિયાન અમેરિકાએ સૈન્ય હુમલાઓને યોગ્ય ઠેરવ્યા હતા. યુએસ એમ્બેસેડરે જણાવ્યું હતું કે, "ઈરાન દ્વારા એડવાન્સ્ડ મિસાઈલ ક્ષમતા માટે સતત પ્રયાસો કરવા અને રાજદ્વારી તકો હોવા છતાં પરમાણુ મહત્વાકાંક્ષાઓ છોડવાનો ઇનકાર કરવો એ એક ગંભીર અને વધતો જતો ખતરો છે."

ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (1 માર્ચ 2026) ઈરાનને કોઈપણ સૈન્ય કાર્યવાહી સામે ચેતવણી આપતા કહ્યું કે, તેઓ તે દેશ પર એવી તાકાતથી હુમલો કરશે જે અગાઉ ક્યારેય જોયો નથી. ટ્રમ્પે કહ્યું, "ઈરાને હમણાં જ કહ્યું છે કે તેઓ આજે ખૂબ જ જોરદાર હુમલો કરશે, જેવો પહેલા ક્યારેય નથી થયો, પરંતુ વધુ સારું રહેશે કે તેઓ આવું ન કરે, કારણ કે જો તેઓ તેમ કરશે, તો અમે તેમના પર એવી શક્તિથી હુમલો કરીશું જે પહેલાં ક્યારેય જોઈ નથી."

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સરકારી ટેલિવિઝન પર સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કર્યા બાદ, તેમના હત્યારાઓને સજા કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને વચન આપ્યું છે કે તેનો જવાબ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તેલ સંકટમાં શ્રીલંકા, માલદીવ, નેપાળની મદદ.... ભારતની પ્રસંશા સાંભળી અકળાયા PAK એક્સપર્ટ, શાહબાઝ સરકારને કહ્યું તમે કેમ નથી...
તેલ સંકટમાં શ્રીલંકા, માલદીવ, નેપાળની મદદ.... ભારતની પ્રસંશા સાંભળી અકળાયા PAK એક્સપર્ટ, શાહબાઝ સરકારને કહ્યું તમે કેમ નથી...
Iran-US Israel War: ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં કયા હથિયારે મચાવ્યો સૌથી વધુ કહેર ? ડ્રૉન, મિસાઈલ કે AI ?
Iran-US Israel War: ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં કયા હથિયારે મચાવ્યો સૌથી વધુ કહેર ? ડ્રૉન, મિસાઈલ કે AI ?
Iran War: અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો, ન્યૂક્લિયર સેન્ટર પર એરસ્ટ્રાઇક કરી 2000 પાઉન્ડના બંકર બ્લસ્ટર બૉમ્બ ફેંક્યા
Iran War: અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો, ન્યૂક્લિયર સેન્ટર પર એરસ્ટ્રાઇક કરી 2000 પાઉન્ડના બંકર બ્લસ્ટર બૉમ્બ ફેંક્યા
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget