શોધખોળ કરો

Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર

Iran Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર અઝરબૈજાનથી પરત ફરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

Iran Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમા મોત થયું હતું.  ઇબ્રાહિમ રઇસીના મોત બાદ મોહમ્મદ મોખબર ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. નોંધનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર અઝરબૈજાનથી પરત ફરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ઈરાનના સર્વોચ્ચ નેતા  આયાતુલ્લાહ અલી ખમેનીએ સોમવારે આ અંગેની જાહેરાત કરી હતી. રઇસી, ઈરાનના વિદેશ પ્રધાન હુસેન અમીર-અબ્દુલ્લાહયાન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમતી અને પૂર્વ અઝરબૈજાનમાં ઇરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અયાતુલ્લાહ મોહમ્મદ અલી આલે હાશેમ પણ સવાર હતા.

રઇસીના મોત બાદ શોક સંદેશમાં ખમેનીએ જાહેરાત કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ વચગાળાની ફરજો સંભાળશે. ઈરાનના સર્વોચ્ચ નેતાએ પણ સંદેશમાં પાંચ દિવસના શોકની જાહેરાત કરી હતી. ખમેનીએ કહ્યું કે "બંધારણના અનુચ્છેદ 131 અનુસાર, મોખબર કાર્યકારી શાખાના નેતૃત્વનો હવાલો સંભાળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોખબરે "મહત્તમ 50 દિવસની અંદર" સાંસદો અને ન્યાયિક વડાઓ સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરવી પડશે.

ઈરાનના બંધારણ મુજબ, જો રાષ્ટ્રપતિનું મોત થાય છે તો ઈરાનના ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ લીડરની સંમતિથી સત્તા સંભાળે છે અને નવી રાષ્ટ્રપતિની ચૂંટણી 50 દિવસની અંદર કરવામાં આવશે. ઇરાનમાં 2025માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની હતી.

અહેવાલો અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી રવિવારે વહેલી સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાન ગયા હતા. બંને દેશો દ્વારા અરાસ નદી પર બાંધવામાં આવેલો આ ત્રીજો બંધ છે.

સુપ્રીમ લીડર ખમેનીના ફાઉન્ડેશન સાથે છે કનેક્શન

ઈરાનના રાષ્ટ્રપતિ રઇસી  અને ઉપરાષ્ટ્રપતિ બંને તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનીના નજીકના છે. વર્ષ 2021માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈબ્રાહિમ રઇસીએ પહેલીવાર મોહમ્મદ મોખબરને દેશના ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. ઈરાનના વાઇસ પ્રેસિડેન્ટ ઘણા વર્ષો સુધી ખમેનીના ફાઉન્ડેશનને ચલાવતા હતા.

મોહમ્મદ મોખબરનો જન્મ ઈરાનના ડેઝફુલ શહેરમાં વર્ષ 1955માં થયો હતો. તેમની પાસે મેનેજમેન્ટમાં પીએચડીની ડિગ્રી છે. આ પહેલા તેઓ ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અને ઈરાનસેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ એક્સપેડિએન્સી ડિસ્ક્રિમિનેશન કાઉન્સિલના સભ્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમદાવાદ વિમાન દુર્ઘટના: PM મોદી આવતીકાલે સવારે ઘટનાસ્થળની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે
અમદાવાદ વિમાન દુર્ઘટના: PM મોદી આવતીકાલે સવારે ઘટનાસ્થળની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે
Ahmedabad plane crash: '૧.૨૫ લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો'; અમદાવાદ પ્લેન ક્રેશ પર અમિત શાહ
Ahmedabad plane crash: '૧.૨૫ લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો'; અમદાવાદ પ્લેન ક્રેશ પર અમિત શાહ
Air india plane crash: પિતાના અંતિમ સંસ્કારમાં અમદાવાદ આવ્યો હતો યુવક, પ્લેન ક્રેશમાં મોત 
Air india plane crash: પિતાના અંતિમ સંસ્કારમાં અમદાવાદ આવ્યો હતો યુવક, પ્લેન ક્રેશમાં મોત 
Air india plane crash: પતિ પાસે લંડન જઈ રહેલી નવી નવેલી દુલ્હનની જીંદગી સમાપ્ત, પિતા સાથેની અંતિમ તસવીર વાયરલ
Air india plane crash: પતિ પાસે લંડન જઈ રહેલી નવી નવેલી દુલ્હનની જીંદગી સમાપ્ત, પિતા સાથેની અંતિમ તસવીર વાયરલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Plane Crash: '1.25 લાખ લિટર ઇંધણ કારણે બચવાનો મોકો જ ન મળ્યો': અમિત શાહAhmedabad Plane Crash: ટેકઓફથી ક્રેશ સુધીના ભયાનક દ્રશ્યો CCTV ફૂટેજમાં કેદ, જુઓ VIDEOAhmedabad Plane Crash: વિજય રૂપાણીના નિધનથી અમારા માટે અત્યંત મોટી ખોટ: C.R.PatilAhmedabad Plane Crash: પૂર્વ CM વિજય રૂપાણીનો એરપોર્ટનો છેલ્લો વીડિયો સામે આવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ વિમાન દુર્ઘટના: PM મોદી આવતીકાલે સવારે ઘટનાસ્થળની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે
અમદાવાદ વિમાન દુર્ઘટના: PM મોદી આવતીકાલે સવારે ઘટનાસ્થળની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે
Ahmedabad plane crash: '૧.૨૫ લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો'; અમદાવાદ પ્લેન ક્રેશ પર અમિત શાહ
Ahmedabad plane crash: '૧.૨૫ લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો'; અમદાવાદ પ્લેન ક્રેશ પર અમિત શાહ
Air india plane crash: પિતાના અંતિમ સંસ્કારમાં અમદાવાદ આવ્યો હતો યુવક, પ્લેન ક્રેશમાં મોત 
Air india plane crash: પિતાના અંતિમ સંસ્કારમાં અમદાવાદ આવ્યો હતો યુવક, પ્લેન ક્રેશમાં મોત 
Air india plane crash: પતિ પાસે લંડન જઈ રહેલી નવી નવેલી દુલ્હનની જીંદગી સમાપ્ત, પિતા સાથેની અંતિમ તસવીર વાયરલ
Air india plane crash: પતિ પાસે લંડન જઈ રહેલી નવી નવેલી દુલ્હનની જીંદગી સમાપ્ત, પિતા સાથેની અંતિમ તસવીર વાયરલ
રૂપાણીના મૃત્યુ અંગે હજુ સત્તાવાર માહિતી નહીં: ભરત બોઘરા, પૂર્વ CM રૂપાણીના પરિવારજનો આવતીકાલે મુંબઈ પહોંચશે
રૂપાણીના મૃત્યુ અંગે હજુ સત્તાવાર માહિતી નહીં: ભરત બોઘરા, પૂર્વ CM રૂપાણીના પરિવારજનો આવતીકાલે મુંબઈ પહોંચશે
અભિનેતા વિક્રાંત મેસીના ભાઈનું પ્લેન ક્રેશમાં દર્દનાક મોત, લખી ઈમોશનલ પોસ્ટ 
અભિનેતા વિક્રાંત મેસીના ભાઈનું પ્લેન ક્રેશમાં દર્દનાક મોત, લખી ઈમોશનલ પોસ્ટ 
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટે છેલ્લો કોલ કર્યો અને પછી... વિમાન દુર્ઘટનામાં મોટું અપડેટ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટે છેલ્લો કોલ કર્યો અને પછી... વિમાન દુર્ઘટનામાં મોટું અપડેટ
અમદાવાદ વિમાન દુર્ઘટના પર પાકિસ્તાનના PM શેહબાઝ શરીફનું નિવેદન આવ્યું સામે – ‘એર ઈન્ડિયાના વિમાન....’
અમદાવાદ વિમાન દુર્ઘટના પર પાકિસ્તાનના PM શેહબાઝ શરીફનું નિવેદન આવ્યું સામે – ‘એર ઈન્ડિયાના વિમાન....’
Embed widget