શોધખોળ કરો

PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા

જોકે, ત્રીજા તબક્કા પછી ડેટા મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. બાદમાં ચોથો તબક્કો શરૂ થયો હતો પરંતુ તે પછી કોઈ અપડેટ્સ મળી રહ્યા નહોતા.

ઈસરોનું વર્ષનું પહેલું લોન્ચ નિષ્ફળ ગયું છે. PSLV-C62 મિશન પહેલાં C61 ગયા વર્ષે પણ નિષ્ફળ ગયું હતું. આ વખતે રોકેટ સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું. જોકે, ત્રીજા તબક્કા પછી ડેટા મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. બાદમાં ચોથો તબક્કો શરૂ થયો હતો પરંતુ તે પછી કોઈ અપડેટ્સ મળી રહ્યા નહોતા. મિશન કંન્ટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો હતો. બાદમાં ઈસરોના વડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં સમસ્યા આવી હતી. રોકેટે માર્ગ બદલ્યો હતો, જેના કારણે બધા ઉપગ્રહો અવકાશમાં ગુમ ગયા હતા. તેમની સાથે હાલમાં સંપર્ક થઈ રહ્યો નથી. 

12 જાન્યુઆરી, 2026ના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એ વર્ષનું પોતાનું પ્રથમ મિશન લોન્ચ કર્યું હતું. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10:17 વાગ્યે 16 ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે, પીએસએલવી-સી62 રોકેટ અવકાશમાં તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું. ઇસરોએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. 

પીએસએલવી રોકેટની 64મી ઉડાન

પીએસએલવીને વિશ્વના સૌથી વિશ્વસનીય પ્રક્ષેપણ વાહનોમાંનું એક માનવામાં આવે છે. તેણે ચંદ્રયાન-1, મંગલયાન અને આદિત્ય-એલ1 જેવા મિશન લોન્ચ કર્યા છે. આ પીએસએલવીની એકંદરે 64મી ઉડાન પણ છે. આ ભારતનું 9મું વાણિજ્યિક મિશન છે, જે ઉપગ્રહ બનાવવા અને લોન્ચ કરવા માટે રચાયેલ છે. ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે આને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય ખાનગી કંપનીએ પીએસએલવી મિશનમાં આટલો મોટો હિસ્સો લીધો છે. આ મિશન ઇસરોની વાણિજ્યિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) દ્વારા સંચાલિત છે.

સચોટ દેખરેખ માટે અન્વેષા ઉપગ્રહ જરૂરી છે

આ મિશનમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત અન્વેષા ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે. તે અદ્યતન ઇમેજિંગ સુવિધાઓથી સજ્જ એક ગુપ્તચર ઉપગ્રહ છે, જે ચોક્કસ દેખરેખ અને મેપિંગ માટે રચાયેલ છે. તે અવકાશમાં હોવા છતાં પણ ઝાડીઓ, જંગલો અથવા બંકરોમાં છૂપાયેલા દુશ્મનોની છબીઓ કેપ્ચર કરી શકે છે.

ભારતનો પ્રથમ ઓર્બિટલ AI ઇમેજિંગ સેટેલાઇટ

MOI-1 આ મિશનમાં સૌથી મહત્વપૂર્ણ ઉપગ્રહ છે. તે ભારતની પ્રથમ ઓર્બિટલ AI ઇમેજિંગ લેબ છે, જે હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપનીઓ ટેક મી ટુ સ્પેસ અને ઇઓન સ્પેસ લેબ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. MOI-1 ઉપગ્રહ એક પ્રકારનો 'સ્પેસ ક્લાઉડ' છે, જે લોકોને ઉપગ્રહ પર સીધા પ્રયોગો કરવાની મંજૂરી આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
Embed widget