શોધખોળ કરો

પાકિસ્તાનના રાવલપિંડીમાં 100 વર્ષ જુના મંદિર પર હુમલો, મંદિરમાં ચાલી રહ્યું હતું નિર્માણ કાર્ય

ફરિયાદ મુજબ, શહેરના પુરાના કીલા વિસ્તારમાં શનિવારે સાંજે સાડા સાત વાગ્યે 10 થી 15 લોકોના ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો અને મુખ્ય દરવાજો અને ઉપરના માળના બીજા દરવાજાની સાથે સીડી તોડી હતી. 

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં અજાણ્યા લોકોના જૂથ દ્વારા 100 વર્ષથી વધુ જૂનાં હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ફરિયાદમાં આ વાત કહેવામાં આવી છે. આ મંદિરના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.

ફરિયાદ મુજબ, શહેરના પુરાના કીલા વિસ્તારમાં શનિવારે સાંજે સાડા સાત વાગ્યે 10 થી 15 લોકોના ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો અને મુખ્ય દરવાજો અને ઉપરના માળના બીજા દરવાજાની સાથે સીડી તોડી હતી. 

એક મહિનાથી બાંધકામનું કામ ચાલી રહ્યું છે

'ડોન' અખબારના સમાચારો અનુસાર, ઇવેક્યૂયી ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી) નોર્થ ઝોનના સિક્યુરિટી ઓફિસર સૈયદ રઝા અબ્બાસ ઝૈદીએ રાવલપિંડીના બન્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને જણાવ્યું છે કે છેલ્લા એક મહિનાથી મંદિરના નિર્માણ અને નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે મંદિરની સામે થોડુંક અતિક્રમણ થયું હતું, જેને 24 માર્ચે હટાવવામાં આવ્યું હતું. મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ નથી અને ત્યાં પૂજા માટે કોઈ મૂર્તિ રાખવામાં આવી નથી.

ઝૈદીએ મંદિર અને તેની પવિત્રતાને નુકસાન પહોંચાડનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જિલ્લા વહીવટીતંત્રે તાજેતરમાં અતિક્રમણ દૂર કર્યું હતું

અગાઉ, અતિક્રમણ (દબાણ) કરનારાઓએ લાંબા સમયથી મંદિરની આજુબાજુની દુકાનો પર કબજો કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રે પોલીસની મદદથી તાજેતરમાં તમામ પ્રકારના અતિક્રમણ દૂર કર્યા હતા. મંદિરને અતિક્રમણ મુક્ત કર્યા બાદ નવીનીકરણનું કામ શરૂ થયું હતું.

પોલીસ તૈનાત

દરમિયાન, મંદિરના સંચાલક ઓમ પ્રકાશે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે રાવલપિંડીના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા અને માહિતી મળતાની સાથે જ પરિસ્થિતિને કાબૂમાં લીધી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, પ્રકાશએ કહ્યું કે પોલીસ મંદિરની સાથે સાથે તેના ઘરની બહાર પણ તૈનાત છે. જો કે, તેમણે કહ્યું કે મંદિરમાં હોળીની ઉજવણી કરવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget