શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને 5100 સંદિગ્ધ આતંકવાદીઓના બેંક ખાતા કર્યા ફ્રીઝ, મસૂદ અઝહર પણ સામેલ
ઇસ્લામાબાદઃ અમેરિકાની ટકોર બાદ હવે પાકિસ્તાન મોડે મોડે જાગ્યું છે. પાકિસ્તાની એજંસીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનાં સરગના મસૂદ અઝહર સહિત કુલ 5100 સંદિગ્ધ આતંકવાદીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. જેમાં 40 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ જમા હતી. પઠાનકોટ હુમલા બાદ આતંકી જૈશ-એ-મહોમ્મદ પ્રાઈવેટ કસ્ટડીમાં છે.
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનનાં એક અધિકારીએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયનાં નિર્દેશ બાદ તેમણે મસૂદ અઝહર સહિત દરેક સંદિગ્ધ આતંકીઓના બેંક અકાઉન્ટથી નાણાકીય લેવડદેવડ પર પ્રતિબંધ લગાવી દીધી છે. પાકિસ્તાની ગૃહમંત્રાલયે સંદિગ્ધ સાડા પાંચ હજાર આતંકીઓની યાદી મોકલી હતી જેમાંથી જેમના ખાતા સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં છે તેમના પર રોક લગાવી દીધી છે. જેમના પર રોક લગાવાઈ છે તેમના વિરુદ્ધ એન્ટી ટેરરીઝમ એક્ટ 1997 અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. આતંકીઓના ખાતા સીલ કરવાની માહિતીની પાકિસ્તાનનાં નેશનલ કાઉંટર ટેરરીઝમ ઓથોરિટીએ પણ પુષ્ટી કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement