શોધખોળ કરો

Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર

પાકિસ્તાનમાં  ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે ઇમરાન  ખાનની સરકાર પડી ગઇ છે. પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં તેમની સરકારની હાર થઇ હતી.

Imran Khan Loses No Trust Vote: પાકિસ્તાનમાં  ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે ઇમરાન  ખાનની સરકાર પડી ગઇ છે.  પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં તેમની સરકારની હાર થઇ હતી. 174 મત ઇમરાન ખાન વિરોધમાં પડ્યા હતા. મતદાનમાં ઇમરાન ખાનની પાર્ટીના સાંસદોએ બહિષ્કાર કર્યો.

નોંધનીય છે કે પાકિસ્તાનના ચીફ જસ્ટીસે રાત્રે 12 વાગ્યે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો હતો કારણ કે નેશનલ અસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાની મંજૂરી આપી નહોતી. એવામાં કોર્ટના આદેશ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અડધી રાત્રે કરવામાં આવ્યું હતું. હવે જ્યારે ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે એવામાં પાકિસ્તાનના આગામી વડાપ્રધાન શાહબાઝ શરીફ હોઇ શકે છે. વિપક્ષે વડાપ્રધાન પદ માટે શાહબાઝ શરીફને સમર્થન આપ્યું છે.

પાકિસ્તાનમાં આજ સુધી કોઇ વડાપ્રધાન પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યો નથી. ઇમરાન પ્રથમ એવા નેતા છે જેમણે અવિશ્વાસ પ્રસ્તાવ મારફતે વડાપ્રધાન પદ પરથી હટાવવામા આવ્યા છે. અવિશ્વાસ પર મતદાન અગાઉ ઇમરાને વડાપ્રધાનનું નિવાસસ્થાન છોડી દીધું હતું.

પાકિસ્તાન માટે દુઃખદ દિવસ

ઈમરાન ખાનની સરકાર તૂટી પડ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ માહિતી પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે આજનો દિવસ પાકિસ્તાન માટે દુઃખદ દિવસ હતો. તેણે કહ્યું કે લૂંટારાઓ ઘરે પરત ફર્યા છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન ઈમરાન ખાનને વડાપ્રધાનના નિવાસસ્થાનેથી વિદાય આપવામાં આવી છે. પાકિસ્તાની હોવાનો ગર્વ છે અને તેમના જેવો નેતા મળવાથી હું ધન્ય છું.

 

શાહબાઝ શરીફે કહ્યું- એક નવી સવારની શરૂઆત થઈ છે

ઈમરાન સરકારના પતન પર ગૃહમાં બોલતા પાકિસ્તાનના આગામી સંભવિત વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે આજે પાકિસ્તાનમાં એક નવી સવારની શરૂઆત થવા જઈ રહી છે. આજે પાકિસ્તાનના લોકોની દુઆ કબૂલ થઇ છે.

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં નેતાઓને કેવી રીતે જેલમાં મોકલવામાં આવ્યા, અમે તે બાબતમાં જવા માંગતા નથી. અમે પાકિસ્તાનને વધુ સારું બનાવવા માંગીએ છીએ. હું કહેવા માંગુ છું કે અમે આ રાષ્ટ્રના ઘાને મટાડવા માંગીએ છીએ. અમે કોઈની સાથે બદલો લઈશું નહીં. અમે કોઈને જેલમાં મોકલીશું નહીં, પરંતુ કાયદો પોતાનું કામ કરશે. ન્યાયની જીત થશે. આપણે સાથે મળીને આ દેશને ચલાવીશું અને પાકિસ્તાનને કાયદે આઝમનું પાકિસ્તાન બનાવીશું.

પીએમ ઈમરાન વિરુદ્ધ 8 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો છે, જેમાં 172 બહુમતી હોય છે. પીટીઆઈની આગેવાની હેઠળનું ગઠબંધન 179 સભ્યોના સમર્થનથી રચાયું હતું, જેમાં ઈમરાન ખાનની પીટીઆઈ પાસે 155 સભ્યો હતા. પીટીઆઈએ તેના મુખ્ય સાથી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) ને ગુમાવ્યા બાદ ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો હતો અને વિરોધ પક્ષે 8 માર્ચે PM વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget