શોધખોળ કરો

Pakistan Flood: પૂર અને ખાદ્ય સંકટથી પાકિસ્તાનની હાલત ખરાબ, ભારત સાથે વેપારનો માર્ગ ખોલશે

પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે.

Pakistan Food Crisis: પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે. મિફ્તા ઈસ્માઈલે કહ્યું, "આ પૂર અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે અમે ભારત સાથે વેપાર માર્ગો ખોલીશું."

પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે આજે મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં આવેલા પૂરને કારણે ખેડૂતોના પાકમાં વિનાશ થયો છે અને આ કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની આયાત કરવા પર વિચાર કરી શકે છે. રેડિયો પાકિસ્તાન અનુસાર, ઈસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે મિફ્તા ઈસ્માઈલને પુછાયેલા પ્રશ્નમાં તેમણે આ જવાબ આપ્યો હતો.

ઘણા સમયથી ભારત સાથે વેપાર શરૂ કરવાના પ્રયાસઃ

સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ ભારત સાથેના વેપારને લઈને કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેક પ્રસંગો પર ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની હિમાયત કરી હતી. 

માર્ચ 2021 માં, પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ કહ્યું કે, તે દેશના ખાનગી ક્ષેત્રને ભારતમાંથી 0.5 મિલિયન ટન સફેદ ખાંડ અને કપાસની આયાત કરવાની મંજૂરી આપશે જે વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનમાં આયાત કરી શકાશે. જો કે, આ નિર્ણય થોડા દિવસોમાં રદ કરવામાં આવ્યો હતો. હકીકતમાં, આ નિર્ણયનો PMLN અને PPP રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને અત્યારે આ પાર્ટીઓ જ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર ચલાવી રહી છે.

પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાનેઃ
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાને છે. લાહોરના બજારમાં ડુંગળી 500 રૂપિયા પ્રતિ કિલો અને ટામેટા 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો હોવાથી આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે.

હાલ અફઘાનિસ્તાનથી લાહોર અને પંજાબના શહેરોમાં ડુંગળી અને ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે. આ તોરખામ બોર્ડર પરથી આ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ પહેલા લાહોર માર્કેટ કમિટીના સેક્રેટરી શહઝાદ ચીમાએ પણ કહ્યું હતું કે, સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Embed widget