શોધખોળ કરો

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ પર ભારતના વિરોધ બાદ PM ઇમરાન ખાનનુ આવ્યું નિવેદન? જાણો શું કહ્યુ?

પાકિસ્તાનના પંજાબ પ્રાન્તના રહીમ યાર ખાનના એક મંદિરમાં થયેલી તોડફોડ મામલે ભારત સરકાર કડક વિરોધ નોંધાવ્યો હતો.

પાકિસ્તાનના પંજાબ પ્રાન્તના રહીમ યાર ખાનના એક મંદિરમાં થયેલી તોડફોડ મામલે ભારત સરકાર કડક વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને બોલાવ્યા હતા. બાદમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી.

ઇમરાન ખાને કહ્યું કે રહીમ યાર ખાનના ભુંગમાં  ગણેશ મંદિર પર થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ. મે અગાઉથી જ આઇજી પંજાબને તમામ દોષિતોની ધરપકડ સુનિશ્વિત કરવા અને પોલીસની કોઇ પણ પ્રકારની બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્વાર કરાવશે.

ઇમરાન ખાને ટ્વિટ અગાઉ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયોના ધાર્મિક સ્વતંત્રતા પર નિરંતર હુમલાને લઇને પોતાની ગંભીર ચિંતાઓને પાકિસ્તાની રાજદ્વારીને જાણ કરી છે.બાગચીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાની હાઇકમિશનના પ્રભારીને આજે બોલાવવામાં આવ્યા છે અને પાકિસ્તાનમાં થયેલી નિંદનીય ઘટનાને લઇને અને લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક સ્થળો પર સતત થઇ રહેલા હુમલાઓ પર પોતાની ગંભીર ચિંતા પ્રગટ કરતા વિરોધ નોંધાવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં ભીડે બુધવારે હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. રહીમ યાર ખાન જિલ્લાના પોલીસ અધિકારી અસદ સરફરાજે કહ્યું કે, હુમલાખોરોએ લાકડી, પથ્થરો, અને ઇંટોથી હુમલો કર્યો હતો. ભીડે ધાર્મિક નારા લગાવતા દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરી હતી. તેઓએ કહ્યું કે, મંદિરના એક હિસ્સાને સળગાવી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સેંકડોની સંખ્યામાં લોકોએ અચાનકથી મંદિર પર હુમલો કર્યો હતો. લોકોના હાથમાં લાકડીઓ પથ્થરો હતા અને તેઓએ મંદિરમાં રાખેલી મૂર્તિઓ તોડવાની શરૂઆત કરી હતી. પોલીસે ઘટના બાદ વિસ્તારની સુરક્ષા વધારી દીધી હતી અને મંદિરની આસપાસ વ્યાપક પ્રમાણમાં જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget