શોધખોળ કરો

PM મોદી બ્રુનેઇ અને સિંગાપોર જવા રવાના, સેમિકંડક્ટર અને હાઇડ્રોકાર્બન પર થઇ શકે છે ડીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ એક દિવસ સુધી બ્રુનેઇના પ્રવાસે રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ એક દિવસ સુધી બ્રુનેઇના પ્રવાસે રહેશે. આ પછી તેઓ બુધવારે સિંગાપોરના બે દિવસીય પ્રવાસ માટે રવાના થશે. પીએમ મોદીની બ્રુનેઈ અને સિંગાપુરની આ ત્રણ દિવસીય મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પીએમ મોદી આ ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત બ્રુનેઈથી કરી રહ્યા છે. તેઓ સુલતાન હસનલ બોલ્કૈયાના આમંત્રણ પર બ્રુનેઈ પહોંચી રહ્યા છે. તેઓ બ્રુનેઈની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. આ વર્ષે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓ આગામી બે દિવસ માટે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ પર હશે. આ દેશોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે આ દેશો સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત અને બ્રુનેઈ રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. હું સુલતાન હાજી હસનલને મળવા માટે આતુર છું. હું સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડાપ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ મંત્રી લી સેન લુંગ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓને મળીશ. અમે ઘણા મુખ્ય ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે આતુર છીએ.

પીએમ મોદીની આ મુલાકાતમાં વેપાર સંબંધો વધારવાની સાથે અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રે પણ સહયોગ વધારશે. ભારત બ્રુનેઈ સાથે સ્પેસ સેક્ટરમાં ઘણા મહત્વપૂર્ણ કરાર કરી ચૂક્યું છે. આ સાથે આ મુલાકાતથી બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલ અને હાઈડ્રોકાર્બનના ક્ષેત્રમાં પણ સંબંધો મજબૂત થશે. આ પ્રવાસ સેમિકન્ડક્ટર અને હાઇડ્રોકાર્બન આયાત પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. આ ક્ષેત્રમાં કેટલાક કરારો પણ થઈ શકે છે.

ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો પેસિફિક વિઝનના સંદર્ભમાં બ્રુનેઈને ખૂબ જ મહત્વપૂર્ણ દેશ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી 4 સપ્ટેમ્બરે બે દિવસીય સિંગાપોરની મુલાકાતે જશે. પીએમ મોદીની સિંગાપુરની આ પાંચમી મુલાકાત હશે. તેઓ વડાપ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપુર જઈ રહ્યા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana Stray Cattle News |  રખડતા ઢોરના ત્રાસને લઈને વાહનચાલકોને ભારે પરેશાની, જુઓ વીડિયોPM Modi Gujarat Visit  | આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં... જુઓ આજનું શું છે ખાસ શિડ્યુઅલ?Kheda Crime | મહુધામાં પોલીસ સ્ટેશનની બહાર જ થયો પથ્થમારો, 2500થી વધુના ટોળાએ કર્યો હુમલોGondal Bank Election | ગોંડલ નાગરિક બેંકના સુકાની કોણ?, વોટિંગ શરૂ | Abp Asmita | 15-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
'...તો ઇઝરાયેલનો અંત નિશ્ચિત છે!' રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભવિષ્યવાણી! ભારતીયો વિશે કહી આ વાત
'...તો ઇઝરાયેલનો અંત નિશ્ચિત છે!' રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભવિષ્યવાણી! ભારતીયો વિશે કહી આ વાત
Bihar Politics: PK બિહારમાં NDAની આખી બાજી પલટી નાખશે? ચૂંટણી પહેલા જ કરી દીધી મોટી જાહેરાત
Bihar Politics: PK બિહારમાં NDAની આખી બાજી પલટી નાખશે? ચૂંટણી પહેલા જ કરી દીધી મોટી જાહેરાત
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત  વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ખબર પણ ન પડે એમ એક વ્યક્તિ સાત દિવસમાં આટલું પ્લાસ્ટિક ખાઈ લે છે, જાણો કેમ થાય છે આવું?
ખબર પણ ન પડે એમ એક વ્યક્તિ સાત દિવસમાં આટલું પ્લાસ્ટિક ખાઈ લે છે, જાણો કેમ થાય છે આવું?
Embed widget