શોધખોળ કરો

Rahul Gandhi: અમેરિકામાં પણ સેલ્ફ ગોલ કરી બેઠા રાહુલ ગાંધી? થયો વિવાદ

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, તેમના સમયમાં ભારત વિશ્વની કથળતી અર્થવ્યવસ્થાઓમાંની એક હતી, પરંતુ આજે પીએમ મોદીના નેતૃત્વમાં...

Rahul Gandhi on his Muslim Remarks : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. વિદેશની ધરતી હોય અને રાહુલ ગાંધી વિવાદ ના સર્જે તો જ નવાઈ. આ વખતે તેઓ મુસ્લિમોને લઈ આપે નિવેદનથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આ મામલે વિવાદ સર્જાયો છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાહુલના નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર હતી ત્યારે તેણે ગુજરાતના મુસ્લિમોને સમર્થન આપ્યું ન હતું. બીજી તરફ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મૌલાના ઉમર અહેમદ ઈલ્યાસી પણ રાહુલના નિવેદન સાથે સહમત નથી. 

મૌલાના ઉમર અહેમદ ઈલ્યાસીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, રાહુલ ગાંધી પોતે જ ડરી ગયા છે. કોંગ્રેસ નેતાના મુસ્લિમો અંગેના નિવેદન પર જે પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે, તેનાથી લાગી રહ્યું છે કે, રાહુલના નિવેદન પર વાર-પલટવાર થઈ રહ્યાં છે.

ઓવૈસીએ રાહુલને ઘટનાઓ સંભળાવી

આ પ્રકારના નિવેદન બદલ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીને ઘેર્યા હતા. રાહુલ પર વળતો પ્રહાર કરતા AIMIMના વડાએ તેમના નિવેદનને ગેરવાજબી ગણાવ્યું અને કહ્યું હતું કે, જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે તેમણે મુસ્લિમો માટે શું કર્યું? તમે જ્યારે સરકારમાં હતા ત્યારે તમે કંઈ કર્યું નથી. તમે જ્યારે સરકારમાં હતા ત્યારે તમે ગુજરાતની જનતાને સાથ આપ્યો નહોતો. જ્યારે તમે સરકારમાં હતા ત્યારે તમે પોટા હટાવીને વધુ કડક કાયદો UAPA લાવ્યા હતા. જ્યારે તમે સરકારમાં હતા ત્યારે તમે જ્ઞાતિની વસ્તીગણતરી નહોતા લાવ્યા. અમે ઈચ્છીએ છીએ કે, ભારતમાં જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ. અમે એમ પણ માનીએ છીએ કે, આરક્ષણ પરની 50 ટકાની મર્યાદા દૂર કરવી જોઈએ. કોંગ્રેસની સરકારોમાં મુસ્લિમો સાથે અકસ્માતો થયા હોવાનું પણ ઓવૈશીએ કહ્યું હતું.

'રાહુલ ગાંધી પોતે જ ડરી ગયા છે" 

ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ઉમર અહેમદ ઈલિયાસીએ પણ રાહુલના નિવેદન પર પલટવાર કર્યો છે. ઇલ્યાસીએ આરોપ લગાવ્યો કે જે કોઈ કહી રહ્યો છે કે, મુસ્લિમો નહીં પણ રાહુલ ગાંધી પોતે ડરી ગયા છે. ઇલ્યાસીએ એમ પણ કહ્યું હતું કે, જેમણે મુસ્લિમોની રાજનીતિ કરી, તેઓએ મુસ્લિમોને ડરાવ્યા. તે જ એવી વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મુસ્લિમ ક્યારેય ડર્યો નથી અને ક્યારેય રહેશે નહીં. મુસ્લિમોના નામે જે રાજનીતિ ચાલતી હતી, તેનો ઉપયોગ હવે મુસ્લિમો સમજી ગયા છે. અમને ડરાવવામાં આવ્યા હતા. જેઓ પોતાનાથી ડરે છે તે આપણને ડરાવે છે. જે રીતે મુસ્લિમો દેશની અંદર એકસાથે આગળ વધી રહ્યા છે. મોદી સરકારમાં તેઓ જે રીતે આગળ વધી રહ્યા છે, મને લાગે છે કે લોકો તેને  સહન  નથી કરી શકતા.

ભાજપનો પણ રાહુલ પર વળતો પ્રહાર 

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, તેમના સમયમાં (યુપીએ સરકારના સમયમાં) ભારત વિશ્વની કથળતી અર્થવ્યવસ્થાઓમાંની એક હતી, પરંતુ આજે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમના સમયમાં ભારતની પરંપરાઓનું ગળું દબાવવામાં આવ્યું હતું અને તેઓ દરેક વસ્તુ માટે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જોતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ગૌરવશાળી ઈતિહાસના નવજાગરણનું કામ કર્યું છે. કોંગ્રેસની માનસિકતા ગુલામીની માનસિકતા છે અને તેઓ હંમેશા ભારત અને ભારતીયતાને બદનામ કરતા આવ્યા છે. 

રાહુલ ગાંધીના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, જો તમે તેમના અગાઉના નિવેદનો પર નજર નાખો તો રાહુલ ગાંધી ભારતને એક દેશ નહીં પરંતુ રાજ્યોનું સંઘ માને છે. તેઓ સતત ભારતની પ્રગતિ પર સવાલ ઉઠાવે છે. રાહુલ ગાંધી પોતે જ જણાએ કે તેઓ આ પ્રાયોજિત કાર્યક્રમ દ્વારા શું કરવા માંગે છે? શું તેમનું એકમાત્ર કામ વિદેશમાં જઈને દેશ પર કાદવ ઉછાળવાનું બાકી છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget