શોધખોળ કરો

ટ્રમ્પની આ એક ભૂલથી અમેરિકા બરબાદ થઈ જશે, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જશે – ગોલ્ડમૅન સૅશ રિપોર્ટ

ગોલ્ડમૅન સૅક્સે અમેરિકાનો વિકાસ દર ઘટાડ્યો, મંદીની શક્યતા ૪૫ ટકા સુધી પહોંચી; ટ્રમ્પના કડક ટેરિફથી વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ.

Global recession 2025: અમેરિકાની અર્થવ્યવસ્થાને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે. હવે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સે (Goldman Sachs report) અમેરિકામાં મંદીની (US economic crisis) શક્યતા ૩૫ ટકાથી વધારીને ૪૫ ટકા કરી છે. આ સતત બીજી વખત છે જ્યારે તેણે એક જ સપ્તાહમાં આ અંદાજમાં વધારો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને અન્ય દેશો વચ્ચે વધી રહેલું ટ્રેડ વોર (Trade war) અને ટ્રમ્પ સરકાર દ્વારા લગાવવામાં આવેલ ભારે ટેરિફ છે. ગોલ્ડમેન સૅક્સે ૨૦૨૫ માટે અમેરિકાનો આર્થિક વિકાસ દર ૧.૫ ટકાથી ઘટાડીને ૧.૩ ટકા કર્યો છે. જ્યારે જેપી મોર્ગનનો અંદાજ વધુ ચિંતાજનક છે અને તેઓ માને છે કે યુએસ અર્થતંત્ર ૨૦૨૫માં ૦.૩ ટકા સંકોચાઈ શકે છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨ એપ્રિલના રોજ અપેક્ષા કરતા વધુ કડક ટેરિફની જાહેરાત કરી હતી, જેણે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ હલચલ મચાવી છે. શેરબજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો અને આ પછી એક પછી એક ઈન્વેસ્ટમેન્ટ બેંકોએ મંદીનો ભય વ્યક્ત કરવાનું શરૂ કર્યું. જેપી મોર્ગનનું કહેવું છે કે અમેરિકા અને સમગ્ર વિશ્વમાં મંદીની સંભાવના ૬૦ ટકા સુધી પહોંચી ગઈ છે.

ટ્રમ્પના આ નવા ટેરિફથી અમેરિકામાં મોંઘવારી તો વધી જ શકે છે, પરંતુ ચીન જેવા દેશો પણ વળતી કાર્યવાહી કરી શકે છે, જેનાથી સ્થિતિ વધુ વણસી શકે છે. ગોલ્ડમૅન સૅક્સે આગાહી કરી છે કે ફેડરલ રિઝર્વ (ફેડ) જૂન મહિનાથી વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે અને તેમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો સતત ત્રણ વખત ઘટાડો થઈ શકે છે. જેપી મોર્ગન અને વેલ્સ ફાર્ગો પણ હવે માને છે કે ૨૦૨૫માં વ્યાજ દરમાં ત્રણથી પાંચ વખત ઘટાડો થઈ શકે છે, જેથી બજારને ટેકો મળી શકે.

એક રીતે વેપાર યુદ્ધની આગ હવે અમેરિકન અર્થતંત્ર સુધી પહોંચી ગઈ છે. જો સ્થિતિ આવી જ રહી તો સમગ્ર વિશ્વ માટે આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. ભારત જેવા દેશોએ આ સ્થિતિમાં સ્માર્ટ વ્યૂહરચના બનાવવી પડશે, જેથી વૈશ્વિક મંદીની અસરને ઓછી કરી શકાય અને નવી તકો મળી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
Harsh Sanghavi hold Meeting: વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ગૃહરાજ્યમંત્રી એકશનમાં
Surat news : સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
મહીસાગર નદી પરનો પાદરા અને જંબુસરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
​CSIR UGC NET 2025: હવે ફક્ત એક દિવસમાં યોજાશે CSIR UGC NETની પરીક્ષા, આ કારણે બદલાઈ તારીખ
​CSIR UGC NET 2025: હવે ફક્ત એક દિવસમાં યોજાશે CSIR UGC NETની પરીક્ષા, આ કારણે બદલાઈ તારીખ
નાના બાળકોને ઊનના ધાબળા પર સૂવડાવવાથી થઈ શકે છે અસ્થમા, અભ્યાસમાં થયો ખુલાસો
નાના બાળકોને ઊનના ધાબળા પર સૂવડાવવાથી થઈ શકે છે અસ્થમા, અભ્યાસમાં થયો ખુલાસો
Embed widget