શોધખોળ કરો

Russia Ukraine War: રશિયાનું ફેસબુક વિરુદ્ધ એક્શન, આશિંક પ્રતિબંધ લગાવ્યો

યુક્રેન પર હુમલા બાદ રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. ફેસબુકે ઘણા ક્રેમલિન સમર્થિત મીડિયાના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ રશિયાએ આ પગલું ભર્યું છે.

યુક્રેન પર હુમલા બાદ રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. ફેસબુકે ઘણા ક્રેમલિન સમર્થિત મીડિયાના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ રશિયાએ આ પગલું ભર્યું છે. રશિયન સ્ટેટ કોમ્યુનિકેશન વોચડોગ, Roskomnadzor  શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને માંગ કરી કે તેઓ સમાચાર એજન્સી RIA નોવોસ્તી, સ્ટેટ ટીવી ચેનલ Zvezda અને ક્રેમલિન સમર્થક  ન્યૂઝ સાઇટ્સ Lenta.Ru અને Gazeta.Ru પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવે.  એજન્સીએ કહ્યું કે ફેસબુકના મીડિયા આઉટલેટ્સને પુનઃસ્થાપિત કર્યા નથી.

Roskomnadzor એ કહ્યું કે " આશિંક પ્રતિબંધ"  શુક્રવારથી પ્રભાવી રહેશે.  પરંતુ આ સ્પષ્ટ નથી થયું કે આ પગલાનો શુ મતલબ છે. પોતાના આધિકારીક નિવેદનમાં  Roskomnadzor એ "રશિયન મીડિયાને સુરક્ષિત કરવાના પગલાં" તરીકે તેની ક્રિયા જાહેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના વિદેશ મંત્રાલય અને પ્રોસીક્યુટર જનરલ ઓફિસને જાણવા મળ્યું છે કે ફેસબુક મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતાઓ તેમજ રશિયન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાઓના ઉલ્લંઘનમાં સામેલ છે.

યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ફ્લિક્ટ ઝોન માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.

શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પછી જયશંકરે કહ્યું કે તેમણે (કુલેબા) વર્તમાન પરિસ્થિતિનું પોતાનું આંકલન શેર કર્યું, મેં ભારપૂર્વક કહ્યું કે ભારત ઉકેલ શોધવા માટે રાજદ્વારી અને વાતચીતને સમર્થન આપે છે. જયશંકરે કહ્યું કે મેં વિદ્યાર્થીઓ સહિત ભારતીયોની સ્થિતિ અંગે ચર્ચા કરી. તેના સુરક્ષિત વળતર માટે તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.

લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ છે. ભારત યુક્રેનની હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા સરહદો દ્વારા ભારતીયોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે રશિયન આક્રમણ બાદ યુક્રેનની સરકારે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget