![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાઉદીમાં ભારતીય વ્યક્તિને ઘરના દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન લગાવવું મોંઘુ પડ્યું, જાણો તેની સાથે શું થયું
Saudi Swastik: હિન્દુ વ્યક્તિના એપાર્ટમેન્ટમાં રહેતા એક આરબ વ્યક્તિએ જ્યારે સ્વસ્તિકનું પ્રતીક જોયું તો તેને ગેરસમજ થઈ. તેમણે ભારતીય મૂળની વ્યક્તિને આ પ્રતીક દૂર કરવા વિનંતી કરી હતી.
![સાઉદીમાં ભારતીય વ્યક્તિને ઘરના દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન લગાવવું મોંઘુ પડ્યું, જાણો તેની સાથે શું થયું Saudi Arabia: In Saudi, the Indian man had to put Swastik symbol on the door of the house, know what happened to him સાઉદીમાં ભારતીય વ્યક્તિને ઘરના દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન લગાવવું મોંઘુ પડ્યું, જાણો તેની સાથે શું થયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/71f016beaae046789f0725d959007d68_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Saudi Indian-Origin Swastik: હિન્દુઓમાં સ્વસ્તિક પ્રતીક ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નિશાન સામાન્ય રીતે નવા પૂજા પુસ્તકો, વાહનો અને ઘરો પર બનાવવામાં આવે છે. તાજેતરમાં, સાઉદી અરેબિયાના એક હિન્દુ તેલુગુ પરિવારે તેમના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક પ્રતીક લગાવ્યું હતું, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ભારતના ગુંટુરનો વતની, એક વ્યક્તિ સાઉદી અરેબિયામાં એન્જિનિયર તરીકે કામ કરે છે. તેણે પોતાના ફ્લેટના મુખ્ય પ્રવેશદ્વાર પર હિંદુ ધર્મમાં ધાર્મિક પ્રતીક ગણાતું સ્વસ્તિક લગાવ્યું હતું.
અરબી માણસની ગેરસમજ
જ્યારે એક હિંદુ વ્યક્તિના એપાર્ટમેન્ટમાં રહેતા એક અરબ વ્યક્તિએ સ્વસ્તિક પ્રતીક જોયું તો તેને ગેરસમજ થઈ હતી, જેના કારણે તેણે પહેલા આ પ્રતીકને હટાવવાની વિનંતી કરી હતી. આ સાંભળીને હિંદુ પરિવારે પ્રતીકને હટાવવાની ના પાડી દીધી અને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેને હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે.
તેને કોઈપણ પ્રકારની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. જો કે, તેમ છતાં, આરબ વ્યક્તિ તેની વાત સાથે સહમત ન થયો અને મામલો પોલીસ સુધી લઈ ગયો. પોલીસે ભારતીયની ધરપકડ કરી હતી.
જર્મન સાથે સંબંધિત નાઝી પ્રતીક
હવે ધરપકડ કરાયેલ વ્યક્તિની પત્નીએ તેના પતિને છોડાવવા માટે ભારતીય દૂતાવાસ અને તેલુગુ સામાજિક કાર્યકર મુઝમ્મિલ શેખનો સંપર્ક કર્યો છે. આ માટે એક અગ્રણી ભારતીય સમુદાય સ્વયંસેવક નાસ વોક્કમ પણ તેમની મુક્તિ માટે કામ કરી રહ્યા છે.
ઘણા લોકો માને છે કે સ્વસ્તિક એ નાઝી પ્રતીક છે, જ્યારે સ્વસ્તિક વાસ્તવમાં 45 ડિગ્રી ઝુકાવેલું છે અને તે સ્વસ્તિકથી સંપૂર્ણપણે અલગ છે. જર્મન સરમુખત્યાર હિટલરે વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી પ્રતીકનો ઉપયોગ કર્યો હતો.
સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું એક અદ્વિતીય મંગલ પ્રતીક છે. સ્વસ્તિ શબ્દ ‘સુ +અસ’ ધાતુમાંથી બનેલો છે. ‘સુ’ એટલે સારો. કલ્યાણમય, મંગલ અને અસ, એટલે સત્તા, અસસ્તિત્વ. સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક. જયાં-જયાં શ્રી (લક્ષ્મી) છે શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે, ત્યાં-ત્યાં સ્વસ્તિ ભાવના છે.
સ્વસ્તિ ભાવનામાં જ માણસોનો અને વિશ્વનો વિકાસ રહેલો છે. સ્વસ્તિક અતિ પ્રાચીન માનવો દ્વારા નિમાર્ણ કરેલું સર્વપ્રથમ ધર્મ પ્રતીક છે. એક સીધી રેખા અને એના પર એટલી જ બીજી લાંબી કોણિય રેખા સ્વસ્તિકના મૂળની આકૃતિ હતી. સીધી રેખા જયોતિલિંગનું સૂચન કરે છે. જયોતિલિંગ વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ છે. ત્રાંસી રેખા વિશ્વનો વિસ્તાર કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)