શોધખોળ કરો

Explainer: કઈ રીતે કંગાળ બની ગયું શ્રીલંકા? કેમ સરકારના પરિવારવાદને જ જવાબદાર ગણે છે લોકો?

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અત્યારે કંગાળ થવાની સ્થિતિ પર પહોંચી ગયો છે. શ્રીલંકામાં મોંઘવારી નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. દેશભરમાં વીજળી વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે.

Sri Lanka Economic Crisis: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અત્યારે કંગાળ થવાની સ્થિતિ પર પહોંચી ગયો છે. શ્રીલંકામાં મોંઘવારી નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. દેશભરમાં વીજળી વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. વીજળી ના હોવાથી હોસ્પિટલોમાં દર્દીઓના ઓપરેશન અને સર્જરી પણ નથી થઈ શકતી. કાગળના હોવાથી પરીક્ષાઓ રદ્દ થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ ના હોવાથી રેલવે અને બસ સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે. વાહનવ્યવહાર ખોરવાઈ જતાં લોકોને પુરતું જમવાનું પણ નથી મળી રહ્યું. 

શ્રીલંકામાં ખાદ્ય અનાજ અને જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે દેશની આ હાલત થવાનું કારણ લોકો શ્રીલંકાની સરકારોના પરિવારવાદને ગણાવી રહ્યા છે. લોકોના ગુસ્સાનું કારણ રાજપક્ષે પરિવાર છે કારણ કે શ્રીલંકાની સરકારના 5 મોટા ચહેરા રાજપક્ષે પરિવારમાંથી જ આવે છે. આ નેતાઓએ દેવુ કરીને સરકાર ચલાવી હોવાની જાણ લોકોને હવે થઈ છે. માટે હવે શ્રીલંકાની જનતા રાજપક્ષે પરિવારને જ દેશની કંગાળ થવાનું મુખ્ય કારણ ગણી રહી છે.

કઈ રીતે દેવાદાર અને પછી કંગાળ બન્યું શ્રીલંકાઃ
શ્રીલંકા કંગાળ બનવાના કારણ જોઈએ તો તેમાં ઘણા મુદ્દાઓ આવે છે. સાથે જ શ્રીલંકાની સરકારોની એવી નીતિઓ પણ આ સ્થિતિ માટે જવાબદાર છે જેનાથી ભવિષ્યમાં આ સ્થિતિનું નિર્માણ થશે તેનો અંદાજ પણ સરકાર ના લગાવી શકી. શ્રીલંકા કંગાળ થવા માટેનું મુખ્ય કારણ સરકારની ખોટી નીતિઓ પ્રથમ આવે છે. જેમાંની સરકારની સૌથી મોટી ભૂલ લોકોને મફત સેવાઓ અને વસ્તુઓ આપવાની યોજનાઓ છે. 
1. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર છે.
2. કોરોના મહામારી આવતાં પર્યટન ઉદ્યોગ બંધ પડી ગયો જેથી સરકારની આવક ઘટી
3. શ્રીલંકામાં થતા ભ્રષ્ટાચાર પર સરકારે કોઈ કામ ના કર્યું.
4. સરકારે રાસાયણિક ખાતર પર પ્રતિબંધ મુકતાં ખેત પેદાશોનું ઉત્પાદન ઘટી ગયું.
5. અનાજનું પુરતા પ્રમાણમાં ઉત્પાદન ના થતાં મોંધવારી વધી ગઈ. 
6. પર્યટન ઉદ્યોગ અને ઉત્પાદન બંને બંધ થઈ જતાં વિદેશી મૂડીનો ભંડાર ખાલી થઈ ગયો.
7. કડક શરતોને આધીન ચીન પાસેથી લીધેલી લોન શ્રીલંકા ના ચૂકવી શક્યું
8. ગુસ્સે થયેલી જનતાને મનાવવા માટે વસ્તુઓ મફત આપવાની યોજનાથી કંગાળ થયું

ICUમાં પહોંચી ગઈ શ્રીલંકાની અર્થવ્યવસ્થાઃ
એપ્રિલ 2021માં દેવું 3500 કરોડ ડોલર
એપ્રિલ 2022માં દેવું 5100 કરોડ ડોલર

એપ્રિલ 2021માં શ્રીલંકાનું કુલ દેવું 3500 કરોડ ડોલર હતું. જે પછી ફક્ત એક જ વર્ષમાં વધીને 5100 કરોડ ડોલર પર પહોંચી ગયું હતું. શ્રીલંકાના દેવાના કુલ ભાગમાં મોટા ભાગે એવા દેવાનો સમાવેશ થાય છે જેને ચુકવવા માટે શ્રીલંકાએ મોટી કિંમત ચૂકવવી પડશે. શ્રીલંકા સરકારે દેવું લઈને ઘણા જલસા કર્યા પણ જ્યારે આ દેવું ચુકવવાનો સમય આવ્યો ત્યારે ખજાનો ખાલી થઈ ગયો હતો. જનતા રસ્તા પર આવી ગઈ હતી. વિપક્ષ પણ લોકો સાથે રસ્તા પર આવીને વિરોધ કરી રહ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Embed widget