સુદાનના વેસ્ટ કોર્ડોફોનમાં અલ-નુહુદ શહેર નજીક એક સોનાની ખાણ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે.
સુદાનમાં સોનાની ખાણમાં મોટી દૂર્ઘટના: 60 લોકોના મોત, અનેક લાપતા
Sudan: સુદાનના વેસ્ટ કોર્ડોફોનમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અલ-નુહુદ શહેરના ઉત્તરમાં આવેલા એક વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાના કારણે 60 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે.

- સુદાનમાં સોનાની ખાણ ધસી પડતાં 60ના મોત થયા.
- વેસ્ટ કોર્ડોફોનમાં સુરક્ષા વિનાની ખાણમાં આ દુર્ઘટના સર્જાઈ.
- પરંપરાગત પદ્ધતિઓ અને નિયમનના અભાવે આવા અકસ્માતો વધે છે.
- સોનાની તસ્કરી તથા કામદારોનું શોષણ પણ ગંભીર સમસ્યા છે.
Sudan: સુદાનના વેસ્ટ કોર્ડોફોનમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અલ-નુહુદ શહેરના ઉત્તરમાં આવેલા એક વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાના કારણે 60 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે. સુદાન આફ્રિકામાં સોનું ઉત્પાદિત કરતા સૌથી મોટા દેશોની યાદીમાં ટોચ પર છે. અહીં આ પહેલા પણ આ પ્રકારની અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે.
'રોયટર્સ'ના રિપોર્ટ અનુસાર, બુધવારે (16 સપ્ટેમ્બર) ત્રણ સ્થાનિક સ્રોતોએ જણાવ્યું કે સુદાનના વેસ્ટ કોર્ડોફોનમાં અલ-નુહુદ શહેરથી દૂર રવિવારે સોનાની ખાણ ધસી પડી હતી. અત્યાર સુધીમાં 60 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સુદાનમાં મોટાભાગનું સોનું ખતરનાક પરંપરાગત ખનન પદ્ધતિઓ દ્વારા નીકાળવામાં આવે છે અને ત્યારબાદ તેને દેશમાંથી ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવે છે. તેની તસ્કરી પણ થાય છે. સોનું નીકાળવાની પરંપરાગત પદ્ધતિ ખૂબ જ જોખમી છે, જેના કારણે આવા અકસ્માતોની શક્યતા વધી જાય છે.
આ પણ વાંચો...મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
સોનાની ખાણોમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ
સુદાનની મોટાભાગની સોનાની ખાણોમાં સુરક્ષાના નિયમોની મોટા પાયે અવગણના કરવામાં આવે છે અને સુરક્ષાના સાધનો પણ ઉપલબ્ધ નથી. પરિણામે, જ્યારે અકસ્માતો થાય છે ત્યારે મૃત્યુઆંક વધે છે. પશ્ચિમ કોર્ડોફાનમાં આવેલી સુદાનની ઘણી સોનાની ખાણો અર્ધલશ્કરી દળ 'રેપિડ સપોર્ટ ફોર્સીસ'ના નિયંત્રણ હેઠળ છે. જેમના માટે આ ખાણો આવકનો મુખ્ય સ્ત્રોત છે, તેમ છતાં ત્યાં કામ કરતા કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી.
દેશનો સોનાનો વેપાર મોટા પાયે થતી તસ્કરીથી પણ પ્રભાવિત છે. રિપોર્ટ્સ મુજબ સુદાનીઝ સોનાનો એક મોટો હિસ્સો બિનઅધિકૃત રસ્તાઓથી દેશની બહાર જતો રહે છે. થિંક ટેન્ક ચેથમ હાઉસ સેન્ચુરી રિપોર્ટ્સના આંકડા મુજબ સુદાનનું 50% થી 70% સોનું સરકારી રસ્તાઓથી પસાર થવાને બદલે તસ્કરી મારફતે વિદેશોમાં મોકલવામાં આવી શકે છે.
આ સોનાનો એક મોટો હિસ્સો દુબઈ પહોંચે છે, જ્યાંથી તે મોટા આંતરરાષ્ટ્રીય વેપાર નેટવર્કમાં સામેલ થઈ શકે છે. આ નેટવર્ક સાથે જોડાયેલા આરોપોમાં સોનાથી થતી કમાણીને લશ્કરી સાધનો અને લોજિસ્ટિકલ સપોર્ટ માટેના ફંડિંગ સાથે પણ જોડવામાં આવી છે.
કામદારોનું શોષણ
સુદાનમાં સોનાના ખાણકામની લગભગ 80% પ્રવૃત્તિ લઘુ-સ્તરીય ખાણકામ કરનારાઓ દ્વારા કરવામાં આવે છે. આ કામદારો ઘણીવાર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે, જ્યાં નિયમન, સુરક્ષાના ધોરણો કે સરકારી દેખરેખનો અભાવ હોય છે. ઔપચારિક ખાણકામ ક્ષેત્રની નબળાઈઓનો લાભ ઉઠાવીને, શક્તિશાળી કમાન્ડરો, વેપારીઓ અને ગુનાહિત ગ્રુપ આ ખાણકામ કરનારાઓ પર પોતાનો પ્રભાવ જમાવે છે. કેટલાક વિસ્તારોમાં, ગરીબ કામદારોને ધમકીઓનો સામનો કરવો પડી શકે છે અથવા તેઓ જે સોનું કાઢે છે તેના બદલામાં તેમને ખૂબ જ ઓછું મહેનતાણું મળે છે.
Before You Go
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Frequently Asked Questions
સુદાનમાં કઈ દુર્ઘટના બની?
સુદાનમાં સોનાની ખાણોમાં અકસ્માતો શા માટે થાય છે?
સુદાનમાં મોટાભાગનું સોનું ખતરનાક પરંપરાગત ખનન પદ્ધતિઓ દ્વારા કાઢવામાં આવે છે. ખાણોમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ અને સુરક્ષાના નિયમોની અવગણના આવા અકસ્માતોનું મુખ્ય કારણ છે.
સુદાનના સોનાના વેપારને કઈ બાબત અસર કરે છે?
સુદાનના સોનાનો વેપાર મોટા પાયે થતી તસ્કરીથી પ્રભાવિત છે. અંદાજે 50% થી 70% સોનું બિનઅધિકૃત રસ્તાઓથી દેશની બહાર તસ્કરી કરીને દુબઈ પહોંચાડવામાં આવે છે.
સુદાનની સોનાની ખાણો કોના નિયંત્રણ હેઠળ છે?
પશ્ચિમ કોર્ડોફાનમાં આવેલી સુદાનની ઘણી સોનાની ખાણો અર્ધલશ્કરી દળ 'રેપિડ સપોર્ટ ફોર્સીસ'ના નિયંત્રણ હેઠળ છે. આ ખાણો તેમના માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે.






















