બ્રિટનની સંસદમાં ગૂંજ્યો પહલગામ આતંકી હુમલાનો મુદ્દો, પીડિતોને અપાઇ શ્રદ્ધાંજલિ
બ્રિટિશ સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે

બ્રિટિશ સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સ્લૉથી બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ આશા વ્યક્ત કરી કે હુમલા પાછળના ગુનેગારોને જલદી ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
આતંકવાદી હુમલાથી હું પણ ખૂબ જ દુઃખી છું - યુકે સાંસદ
સંસદમાં પોતાના ભાષણમાં તેમણે નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે.
UK MPs condemn terrorist attack in Jammu and Kashmir, hope perpetrators will be brought to justice
— ANI Digital (@ani_digital) April 25, 2025
Read @ANI | https://t.co/KQe8mrvKby#JammuandKashmir #Pahalgam #TanmanjeetSinghDhesi pic.twitter.com/3zVDOJjlUV
બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ કહ્યું: અમે આ અઠવાડિયે પોપ ફ્રાન્સિસના દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ, પરંતુ આ અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયર, ઘાતક, આઘાતજનક આતંકવાદી હુમલાથી પણ હું ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરું છું અને મને આશા છે કે ગુનેગારોને જલદી ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
"Strongly support whatever India does to pursue terrorists": UK MP Bob Blackman on Pahalgam attack
— ANI Digital (@ani_digital) April 25, 2025
Read @ANI Story | https://t.co/rKBA6KlDIC#BobBlackman #India #Pahalgam #JammuandKashmir pic.twitter.com/22Vnsp4Iif
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું
યુકે હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે પહલગામમાં થયેલા હુમલાને "કાયરતાનું કૃત્ય" ગણાવ્યું અને કહ્યું કે યુકે સરકારની સંવેદનાઓ પીડિતો સાથે છે ખાસ કરીને જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે.
સંસદમાં પોતાના ભાષણમાં પોવેલે કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદી હુમલો ભયાનક હતો. તેમણે કહ્યું હતું કે, તે એક કાયરતાપૂર્ણ કૃત્ય હતું અને મારી અને સમગ્ર સરકારની સંવેદનાઓ પીડિતો સાથે છે
યુકેમાં ભારતીય હાઈ કમિશને પહલગામ હુમલાના પીડિતોને યાદ કર્યા
યુકેમાં ભારતીય હાઈ કમિશને 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને યાદ કરવા માટે ઈન્ડિયા હાઉસ ખાતે એક સ્મૃતિ સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ. મુરુગન, મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટ, યુકેના સાંસદ બોબ બ્લેકમેન અને યુકેના અન્ય ઘણા સાંસદો સહિત ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો તેમના શોક અને સમર્થન વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા.
યુકેના સાંસદોએ આતંકવાદની નિંદા કરી
બ્રિટનના સાંસદોએ આતંકવાદની નિંદા કરી અને ઉગ્રવાદ સામે એકતાપૂર્વક ઊભા રહેવાની આપણી સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં બ્રિટનમાંથી પ્રવાસીઓ ભારતીયો એકઠા થયા જેમણે પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આવી ઘટનાઓ સામે એકતા અને ન્યાયના મહત્વ પર ભાર મુક્યો.





















