શોધખોળ કરો

બ્રિટનની સંસદમાં ગૂંજ્યો પહલગામ આતંકી હુમલાનો મુદ્દો, પીડિતોને અપાઇ શ્રદ્ધાંજલિ

બ્રિટિશ સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે

બ્રિટિશ સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સ્લૉથી બ્રિટનના સાંસદ  તનમનજીત સિંહ ઢેસીએ આશા વ્યક્ત કરી કે હુમલા પાછળના ગુનેગારોને જલદી ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

આતંકવાદી હુમલાથી હું પણ ખૂબ જ દુઃખી છું - યુકે સાંસદ

સંસદમાં પોતાના ભાષણમાં તેમણે નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે.

બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ કહ્યું: અમે આ અઠવાડિયે પોપ ફ્રાન્સિસના દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ, પરંતુ આ અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયર, ઘાતક, આઘાતજનક આતંકવાદી હુમલાથી પણ હું ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરું છું અને મને આશા છે કે ગુનેગારોને જલદી ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું

યુકે હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે પહલગામમાં થયેલા હુમલાને "કાયરતાનું કૃત્ય" ગણાવ્યું અને કહ્યું કે યુકે સરકારની સંવેદનાઓ પીડિતો સાથે છે ખાસ કરીને જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે.

સંસદમાં પોતાના ભાષણમાં પોવેલે કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદી હુમલો ભયાનક હતો. તેમણે કહ્યું હતું કે, તે એક કાયરતાપૂર્ણ કૃત્ય હતું અને મારી અને સમગ્ર સરકારની સંવેદનાઓ પીડિતો સાથે છે

યુકેમાં ભારતીય હાઈ કમિશને પહલગામ હુમલાના પીડિતોને યાદ કર્યા

યુકેમાં ભારતીય હાઈ કમિશને 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને યાદ કરવા માટે ઈન્ડિયા હાઉસ ખાતે એક સ્મૃતિ સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ. મુરુગન, મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટ, યુકેના સાંસદ બોબ બ્લેકમેન અને યુકેના અન્ય ઘણા સાંસદો સહિત ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો તેમના શોક અને સમર્થન વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા.

યુકેના સાંસદોએ આતંકવાદની નિંદા કરી

બ્રિટનના સાંસદોએ આતંકવાદની નિંદા કરી અને ઉગ્રવાદ સામે એકતાપૂર્વક ઊભા રહેવાની આપણી સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં બ્રિટનમાંથી પ્રવાસીઓ ભારતીયો એકઠા થયા જેમણે પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આવી ઘટનાઓ સામે એકતા અને ન્યાયના મહત્વ પર ભાર મુક્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Embed widget