શોધખોળ કરો

Wrestlers Protest: અમારા ફોન નંબર પણ ટ્રેક કરવામાં આવી રહ્યાં છે, પુનિયાએ લગાવ્યો: બજરંગ પુનિયા

દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો તેમના કપાળ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. બજરંગ પુનિયાએ ફોન નંબર ટ્રેક કરવાનો આરોપ લગાવ્યો છે.

 Wrestlers Protest:દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો તેમના કપાળ પર કાળી પટ્ટી બાંધેલા જોવા મળ્યા હતા. બજરંગ પુનિયાએ ફોન નંબર ટ્રેક કરવાનો આરોપ લગાવ્યો છે.

જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો કાળી પટ્ટી પહેરીને જોવા મળ્યા હતા. કુસ્તીબાજોએ ગુરુવાર (11 મે)ને કાળો દિવસ ગણાવ્યો. બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો છે કે તેમના ફોન નંબર ટ્રેક કરવામાં આવી રહ્યાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગટ, સાક્ષી મલિક તેમજ સત્યવ્રત કાદિયન અને જિતેન્દ્રએ કપાળ પર કાળી પટ્ટી બાંધી હતી, જ્યારે કેટલાક સમર્થકોએ બ્રિજ ભૂષણ સિંહ સામેની એકશન લેવામાં નિષ્ક્રિયતાનો વિરોધ કરવા હાથ પર બાંધી હતી. કુસ્તીબાજો બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યાં છે, જેમના પર અનેક મહિલા કુસ્તીબાજો પર જાતીય શોષણનો આરોપ છે.

બજરંગ પુનિયાએ શું કહ્યું?

ગુરુવારે (11 મે) બજરંગ પુનિયાએ કહ્યું, “આજે અમે બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરોધમાં કાળો દિવસ મનાવી રહ્યા છીએ. અમને અમારી જીતનો વિશ્વાસ છે કારણ કે અમારી લડાઈમાં આખો દેશ અમારી સાથે છે. દરરોજ અમારો વિરોધ વેગ પકડી રહ્યો છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું."

પત્રકારો સાથે વાત કરતા તેણે વધુમાં કહ્યું, “આજકાલ અમારા ફોન નંબર ટ્રેક કરવામાં આવે છે. અમારી સાથે એવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે અમે ગુનો કર્યો હોય. હું તમને કહું છું કે જે પણ અમારા સંપર્કમાં છે તેને ટ્રેક કરવામાં આવી રહ્યો છે.

સીમા અંતિલની ટીકા

રેસલર પુનિયાએ એથ્લેટ સીમા અંતિલની પણ ટીકા કરી હતી., એન્ટિલે કહ્યું હતું કે કુસ્તીબાજોના વિરોધને કારણે કેમ્પ અને ટ્રાયલ યોજવામાં આવી રહ્યા નથી અને તેનાથી રમત પર નકારાત્મક અસર પડી રહી છે. આ અંગે પુનિયાએ કહ્યું, “મને સમજાતું નથી કે તે  આવું કેમ કહી કહી રહી છે કે અમે રમતને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. તે ખૂબ જ દુ:ખદ વાત છે કે એક  ખેલાડી હોવા છતાં પણ તે સમર્થનના બદલે કેમ આવા નિવેદન આપે છે.

તેણે આગળ કહ્યું, “મને નથી લાગતું કે તેણે જે કહ્યું તે કહેવું જોઈતું હતું. અમે તેનું સન્માન કરીએ છીએ, તે સારી એથ્લેટ છે પરંતુ તેણે નિવેદન આપતા પહેલા વિચારવું જોઈએ. આ સિવાય ગુરુવારે ભારતીય કિસાન યુનિયન એકતા (આઝાદ)નું એક મોટું પ્રતિનિધિમંડળ પણ કુસ્તીબાજોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યું હતું. જેમાં પંજાબની મોટાભાગની મહિલાઓ સામેલ હતી. બજરંગ પુનિયાએ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget