શોધખોળ કરો
Navratri Fast: ઉપવાસ દરમિયાન તમે પણ નથી કરતાં ને આ ભૂલ? બગડી જશે હેલ્થ
Chaitra Navratri: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. એવા ઘણા લોકો છે જે 9 દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરે છે. અને આ સમય દરમિયાન તે ફળો ખાઈને જ ઉપવાસ છે.

કેટલાક લોકો વારંવાર ઉપવાસ દરમિયાન એવી ભૂલ કરી બેસે છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
1/6

NIH અનુસાર, ઉપવાસ કરવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે. આવા કેટલાક ઉપવાસથી બ્લડ શુગર, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને શરીરમાં બળતરા ઓછી થાય છે.
2/6

પરંતુ આ લાભો ત્યારે જ મળશે જ્યારે તમે ઉપવાસ દરમિયાન અમુક ટિપ્સ ફોલો કરશો. ઉપવાસ દરમિયાન આ સામાન્ય ભૂલો ન કરો.
3/6

નિષ્ણાતોના કહેવા મુજબ ઉપવાસ દરમિયાન વ્યક્તિએ વધુ પડતી ચા કે કોફી ન પીવી જોઈએ. લોકો ઘણીવાર આ ભૂલ કરે છે.
4/6

પરંતુ તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આ પાચન પર ખતરનાક અસર કરે છે. શરીરને ડિહાઇડ્રેટ કરવાની સાથે તે તણાવનું કારણ પણ બને છે.
5/6

એવા ઘણા લોકો છે જે ઉપવાસ દરમિયાન આખો સમય કંઈક ને કંઈક ખાતા રહે છે. જો તમને કોઈ ગંભીર તબીબી સ્થિતિ હોય તો તમે આ પદ્ધતિ અપનાવી શકો છો પરંતુ જ્યારે તમે સ્વસ્થ હોવ તો આવું કરવું યોગ્ય નથી. આ પ્રકારની પ્રેક્ટિસ ટાળો. આવું કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે
6/6

ઉપવાસ દરમિયાન ઘણા લોકો એટલી બધી મીઠી વસ્તુઓ ખાતા હોય છે કે તેમનું વજન પહેલા કરતા વધારે વધી જાય છે. તો આ ભૂલ બિલકુલ ન કરો.
Published at : 09 Apr 2024 04:23 PM (IST)
આગળ જુઓ
Advertisement