શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
Navratri Vastu Tips: નવરાત્રી પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, માતા થશે પ્રસન્ન
Navratri Vastu Tips: નવરાત્રી પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, માતા થશે પ્રસન્ન

નવરાત્રી
1/8

આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
2/8

નવરાત્રીનો સમય વાસ્તુ દોષ ઉપાયો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં સાચા મનથી માતાની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
3/8

નવરાત્રીના નવ દિવસો દરમિયાન તમે સાચા મનથી માતાની પૂજા કરીને તમારા ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. ઘર-પરિવારની સમૃદ્ધિ માટે નવરાત્રીના 9 દિવસ સુધી માતાની સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરો.
4/8

નવરાત્રી દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર માતાના ચરણ કુમકુમથી કરવા જોઈએ. ધ્યાન રાખો કે માતાના આ પગ ઘરની અંદરની તરફ આવવા જોઈએ. આમ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.
5/8

માતાના આ ચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે, ધન અને વૈભવ વધે છે.
6/8

નવરાત્રીના નવમા દિવસે કન્યાઓને દક્ષિણા આપવાથી દેવી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરના કાવસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
7/8

અખંડ જ્યોતને દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે.
8/8

દુર્ગા માતા માટે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવતી વખતે વિશેષ ધ્યાન રાખો. ઘીનો દીવો દેવીની જમણી બાજુ હોવો જોઈએ અને તલના તેલનો દીવો દેવીની ડાબી બાજુ હોવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
Published at : 28 Sep 2022 02:48 PM (IST)
Tags :
Festival Navratri Navratri 2022 Navratri Puja Vidhi Navratri 2022 Updates Navratri Puja Significance Navratri Puja Rituals Navratri In India Navratri Puja Importance Navratri 2022 Celebration Goddess Shailputri Goddess Brahmacharini Goddess Chandraghanta Goddess Skandmata Goddess Katyayani Dandiya Dance Navrati Colors Dandiya Raas Goddess Kushmanda Goddess Kaalratri Goddess Mahagauri. Garba Danceવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion