શોધખોળ કરો
Raksha Bandhan 2025: રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Raksha Bandhan 2025: રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો નહીં તો સંબંધમાં કડવાશ આવી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Raksha Bandhan 2025: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણનો તહેવાર રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો નહીં તો સંબંધમાં કડવાશ આવી શકે છે. પંચાંગ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 9 ઓગસ્ટ 2025 શનિવારના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ફક્ત દોરો બાંધવાનો જ નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના મજબૂત સંબંધનું પ્રતિક પણ છે.
2/7

રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે બહેને શુભ સમય, યોગ્ય પદ્ધતિ, યોગ્ય દિશા વગેરે જેવી ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે જાણી જોઈને કે અજાણતાં કરેલી ભૂલો ક્યારેક સંબંધોમાં તિરાડ ઉભી કરે છે. તો આ પવિત્ર દિવસે આવી કોઈ ભૂલ ન કરો. રક્ષાબંધન સંબંધિત મહત્વપૂર્ણ નિયમો જાણો.
Published at : 07 Aug 2025 11:36 AM (IST)
આગળ જુઓ





















