શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pitru Paksha 2022: પિતૃ પક્ષમાં પૂજા કરતી વખતે જાણો નિયમો અને શું રાખશો સાવધાની
Pitru Paksha 2022: વર્ષમાં 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે. આ સમયગાળો પિતૃ પક્ષ કહેવાય છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષમાં દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ કે નહીં.
પિતૃપક્ષ
1/9
![પિતૃ પક્ષમાં તમે સામાન્ય રીતે ભગવાનની પૂજા કરી શકો છો. પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે પૂર્વજોની પૂજા પણ કરવામાં આવતી નથી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પિતૃ પક્ષમાં તમે સામાન્ય રીતે ભગવાનની પૂજા કરી શકો છો. પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની પૂજાની સાથે પૂર્વજોની પૂજા પણ કરવામાં આવતી નથી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/9
![ભગવાનની ઉપાસના માટે એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ આપણે તેમની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકીશું. એવી ધાર્મિક માન્યતા છે કે જો આપણે મંદિર કે પૂજા સ્થાનમાં પૂર્વજોનો ફોટો લગાવીએ તો આપણું ધ્યાન ભટતી જાય છે અને આપણને એ દુઃખદ ક્ષણ યાદ આવે છે જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ભગવાનની પૂજામાં મન નહીં લાગે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભગવાનની ઉપાસના માટે એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ આપણે તેમની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શકીશું. એવી ધાર્મિક માન્યતા છે કે જો આપણે મંદિર કે પૂજા સ્થાનમાં પૂર્વજોનો ફોટો લગાવીએ તો આપણું ધ્યાન ભટતી જાય છે અને આપણને એ દુઃખદ ક્ષણ યાદ આવે છે જ્યારે આપણે તેમને ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ભગવાનની પૂજામાં મન નહીં લાગે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
3/9
![વાસ્તુ અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર હંમેશા એવી રીતે રાખો જ્યાં તેમનું મુખ દક્ષિણ તરફ હોય. શાસ્ત્રોમાં પૂર્વજોનું સ્થાન દક્ષિણ દિશામાં માનવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખો કે ઘરમાં પૂર્વજોની એક જ તસવીર લગાવો. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વાસ્તુ અનુસાર ઘરમાં પૂર્વજોની તસવીર હંમેશા એવી રીતે રાખો જ્યાં તેમનું મુખ દક્ષિણ તરફ હોય. શાસ્ત્રોમાં પૂર્વજોનું સ્થાન દક્ષિણ દિશામાં માનવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખો કે ઘરમાં પૂર્વજોની એક જ તસવીર લગાવો. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/9
![શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે શાંતિપૂર્વક દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓની પૂજામાં મોટા અવાજમાં વેદ મંત્રોનો જાપ વર્જિત છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે શાંતિપૂર્વક દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓની પૂજામાં મોટા અવાજમાં વેદ મંત્રોનો જાપ વર્જિત છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/9
![પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ સાથે કરો. ગરીબ, લાચારોને મદદ કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરો. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ સાથે કરો. ગરીબ, લાચારોને મદદ કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરો. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો.
6/9
![પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે. આ માટે છાણામાં ગોળ, ઘી અને અનાજ અર્પણ કરે છે, તેની સુગંધથી પિતૃ સંતુષ્ટ થાય છે. .](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે. આ માટે છાણામાં ગોળ, ઘી અને અનાજ અર્પણ કરે છે, તેની સુગંધથી પિતૃ સંતુષ્ટ થાય છે. .
7/9
![પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, ગાય, સોનું, વસ્ત્ર, ચાંદીનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, ગાય, સોનું, વસ્ત્ર, ચાંદીનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
8/9
![પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ તર્પણ કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તમારાથી બને તેટલું દાન કરવું જોઇએ. ગાયને લીલુ ઘાસ નાખવું, શ્વાનને રોટલી આપવી વગેરે દાન પુણ્યના કામ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ તર્પણ કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તમારાથી બને તેટલું દાન કરવું જોઇએ. ગાયને લીલુ ઘાસ નાખવું, શ્વાનને રોટલી આપવી વગેરે દાન પુણ્યના કામ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.
9/9
![એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષમાં મૃતકના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિએ પિંડ દાન અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જો તિથિ યાદ ન હોય તો મહાલય અમાવસ્યા (સર્વ પિતૃ અમાવસ્યા 2022) પર પણ શ્રાદ્ધ કરો, તેનાથી સર્વે પિતૃને તૃપ્તિ મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષમાં મૃતકના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિએ પિંડ દાન અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જો તિથિ યાદ ન હોય તો મહાલય અમાવસ્યા (સર્વ પિતૃ અમાવસ્યા 2022) પર પણ શ્રાદ્ધ કરો, તેનાથી સર્વે પિતૃને તૃપ્તિ મળે છે.
Published at : 10 Sep 2022 11:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)