શોધખોળ કરો
Navagraha Plants:નવગ્રહ સાથે જોડાયેલા આ છોડ-વૃક્ષની પૂજા કરવાથી મળે ચમત્કારી ફળ
Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે

ગ્રહો અને છોડનો સંબંધ
1/9

Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.
2/9

આંકડાનો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેને આક અથવા મદાર પણ કહેવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી બૌદ્ધિક પ્રગતિ થાય છે અને યાદશક્તિનો વિકાસ થાય છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ અનુકૂળ રહે છે.
3/9

પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
4/9

ખેર (મંગળ)- ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી રક્તવિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવાથી લાભ થાય છે.
5/9

અપમાર્ગ (બુધ)- જે લોકો બુધ ગ્રહથી પીડિત છે, તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અપમાર્ગના છોડની પૂજા કરવાથી ફળ મળે છે.
6/9

પીપલ (ગુરુ) - પીપલ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
7/9

ચંદન (રાહુ)- રાહુની પીડાથી મુક્તિ મેળવવા માટે ચંદનના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
8/9

શમી (શનિ) - શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
9/9

અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ દૂર થાય છે.
Published at : 16 Dec 2022 07:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
