શોધખોળ કરો
આધાર કાર્ડ સંબંધિત તમામ કામ હવે એક જ જગ્યાએ થશે, જાણો સંપૂર્ણ વિગતો
બાયોમેટ્રિક હોય કે ડેમોગ્રાફિક અપડેટ, આધાર સેવા કેન્દ્ર પર મળશે બધી સુવિધાઓ, ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી પડશે
ભારતમાં રહેતા લોકો માટે આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. શાળામાં પ્રવેશથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધી, લગભગ દરેક કામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. ત્યારે હવે આધાર કાર્ડ સંબંધિત કામગીરીને વધુ સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
1/6

હવેથી આધાર કાર્ડને લગતું તમામ કામ એક જ જગ્યાએ થઈ શકશે, જેના માટે તમારે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે.
2/6

ભારતમાં 90 ટકાથી વધુ લોકો પાસે આધાર કાર્ડ છે, જે તેની લોકપ્રિયતા અને ઉપયોગિતા દર્શાવે છે. ઘણી વખત આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી માહિતી ખોટી દાખલ થઈ જાય છે અથવા તો સમય જતાં બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં આ માહિતીને અપડેટ કરવાની જરૂર પડે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવે છે.
Published at : 15 Mar 2025 10:38 PM (IST)
આગળ જુઓ





















