શોધખોળ કરો
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
NPCI દ્વારા નવા નિયમો લાગુ, 17 ફેબ્રુઆરીથી અમલ શરૂ, છેતરપિંડી અટકાવવા અને વ્યવહારો સુધારવાનો હેતુ.
FASTag વાપરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા FASTag બેલેન્સ ચકાસણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે સોમવાર, 17 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. NPCIનો હેતુ ટોલ વ્યવહારોને વધુ સરળ, પારદર્શક અને છેતરપિંડીમુક્ત બનાવવાનો છે. આ નવા ફેરફારો વિશે વાહન માલિકોએ જાણવું જરૂરી છે, જેથી તેઓ મુશ્કેલી અને દંડથી બચી શકે.
1/8

NPCIએ 28 જાન્યુઆરી 2025ના રોજ આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર અનુસાર, FASTag વ્યવહારો હવે સમય મર્યાદાના આધારે માન્ય ગણાશે. નવા નિયમોમાં બે મુખ્ય સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે:
2/8

60 મિનિટનો નિયમ: જો કોઈ FASTag ટોલ પ્લાઝા પર પહોંચવાના 60 મિનિટ પહેલાં અપૂરતા બેલેન્સને કારણે બ્લેકલિસ્ટ, હોટલિસ્ટ કે નિષ્ક્રિય કરવામાં આવ્યું હોય અને આ સ્થિતિ 60 મિનિટથી વધુ સમય સુધી ચાલુ રહે, તો ટોલ પ્લાઝા પર વ્યવહાર નિષ્ફળ જશે. એટલે કે, જો તમે ટોલ પ્લાઝા પર પહોંચવાના થોડા સમય પહેલાં જ રિચાર્જ કરાવો છો, તો પણ જો 60 મિનિટનો સમયગાળો પૂરો ન થયો હોય, તો વ્યવહાર નિષ્ફળ થઈ શકે છે.
Published at : 16 Feb 2025 07:29 PM (IST)
આગળ જુઓ





















