શોધખોળ કરો

શું મહાકુંભનો સમયગાળો વધારવામાં આવશે? પ્રયાગરાજ ડીએમે કર્યો મોટો ખુલાસો

પ્રયાગરાજ: પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રવિન્દ્ર માંંદેએ સ્પષ્ટતા કરી છે કે મહા કુંભ મેળાને લંબાવવામાં આવી રહ્યો નથી.

પ્રયાગરાજ: પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રવિન્દ્ર માંંદેએ સ્પષ્ટતા કરી છે કે મહા કુંભ મેળાને લંબાવવામાં આવી રહ્યો નથી.

છેલ્લા કેટલાક દિવસોથી, એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને મેળા વહીવટીતંત્ર દ્વારા મેળાને માર્ચ મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, ડીએમ રવીન્દ્ર માંંદેએ આ અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને તદ્દન ખોટી ગણાવી છે.

1/5
ડીએમે જણાવ્યું હતું કે મહા કુંભ મેળાનું આયોજન અને સમયપત્રક શુભ મુહૂર્ત અનુસાર પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મેળાનું સમાપન 26મી ફેબ્રુઆરીએ જ થશે. તેમણે ખાતરી આપી હતી કે મેળાના બાકીના દિવસોમાં આવનારા તમામ ભક્તોની સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે.
ડીએમે જણાવ્યું હતું કે મહા કુંભ મેળાનું આયોજન અને સમયપત્રક શુભ મુહૂર્ત અનુસાર પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મેળાનું સમાપન 26મી ફેબ્રુઆરીએ જ થશે. તેમણે ખાતરી આપી હતી કે મેળાના બાકીના દિવસોમાં આવનારા તમામ ભક્તોની સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે.
2/5
મેળાની તારીખ લંબાવવા અંગેની અફવાઓ અંગે વધુ સ્પષ્ટતા આપતા ડીએમએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં તમામ શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન મૂકવા વિનંતી કરી હતી, કારણ કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી મેળાની તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.
મેળાની તારીખ લંબાવવા અંગેની અફવાઓ અંગે વધુ સ્પષ્ટતા આપતા ડીએમએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં તમામ શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન મૂકવા વિનંતી કરી હતી, કારણ કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી મેળાની તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.
3/5
ડીએમે વધુમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા બાકીના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ સરળતાથી સંગમમાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંગમ સ્નાન બાદ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પરત ફરે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપન વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજના સામાન્ય જનજીવનને અસર કર્યા વિના ભક્તોની અવરજવરને સુચારુ રીતે ચાલુ રાખવા માટે તંત્ર કાર્યરત છે.
ડીએમે વધુમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા બાકીના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ સરળતાથી સંગમમાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંગમ સ્નાન બાદ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પરત ફરે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપન વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજના સામાન્ય જનજીવનને અસર કર્યા વિના ભક્તોની અવરજવરને સુચારુ રીતે ચાલુ રાખવા માટે તંત્ર કાર્યરત છે.
4/5
રેલ્વે સ્ટેશનો બંધ કરવા અંગે ફેલાયેલી અફવાઓનું ખંડન કરતા ડીએમએ જણાવ્યું હતું કે કોઈ પણ રેલ્વે સ્ટેશનને કોઈપણ પૂર્વ સૂચના વિના બંધ કરવામાં આવ્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દારાગંજમાં આવેલું પ્રયાગ સંગમ સ્ટેશન પીક અવર્સ દરમિયાન પહેલાંની જેમ જ બંધ રહેશે. આ સ્ટેશન મેળા વિસ્તારની એકદમ નજીક હોવાથી ભીડ નિયંત્રણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય તમામ સ્ટેશનો સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર ચાલુ છે.
રેલ્વે સ્ટેશનો બંધ કરવા અંગે ફેલાયેલી અફવાઓનું ખંડન કરતા ડીએમએ જણાવ્યું હતું કે કોઈ પણ રેલ્વે સ્ટેશનને કોઈપણ પૂર્વ સૂચના વિના બંધ કરવામાં આવ્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દારાગંજમાં આવેલું પ્રયાગ સંગમ સ્ટેશન પીક અવર્સ દરમિયાન પહેલાંની જેમ જ બંધ રહેશે. આ સ્ટેશન મેળા વિસ્તારની એકદમ નજીક હોવાથી ભીડ નિયંત્રણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય તમામ સ્ટેશનો સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર ચાલુ છે.
5/5
ડીએમે આ પ્રસંગને સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે હજુ સુધી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયો નથી. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અગાઉથી જ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અપીલ કરવામાં આવી હતી, જેનો બધાએ અમલ કર્યો છે. વધુમાં, CBSE અને ICSE બોર્ડે પણ પરીક્ષા ચૂકી જનાર વિદ્યાર્થીઓને પરીક્ષાના અંતે બીજી તક આપવાનો નિર્ણય કર્યો છે, જે વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ બાબત છે.
ડીએમે આ પ્રસંગને સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે હજુ સુધી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયો નથી. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અગાઉથી જ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અપીલ કરવામાં આવી હતી, જેનો બધાએ અમલ કર્યો છે. વધુમાં, CBSE અને ICSE બોર્ડે પણ પરીક્ષા ચૂકી જનાર વિદ્યાર્થીઓને પરીક્ષાના અંતે બીજી તક આપવાનો નિર્ણય કર્યો છે, જે વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ બાબત છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Gang War Case: રાજકોટમાં ગેંગવોરના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ
Gandhinagar News: પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકાર એક્શનમાં
Ahmedabad News: અમદાવાદમાં ડિલિવરી બોયની દાદાગીરી, સિક્યોરિટી ગાર્ડને માર મારવાનો આરોપ
Ahmedabad Accident News: અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રક અને કારનો અકસ્માત થતા યુવકનું મોત
Gujarat Farmers Relief Package: કમોસમી વરસાદથી નુકશાની સહાયની જાહેરાત બાદ ભાજપમાં ભડકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
Embed widget