શોધખોળ કરો
રાજકોટઃ ટ્રકે ઈકો કારને ટક્કર મારતાં જ ભભૂકી ઊઠી આગ, જાણો કેવી રીતે મૃતદેહને કાઢ્યા બહાર
1/6

સુરાપુરા દાદાના મહોત્સવમાં મીતાબેન મહેશભાઇ કલાડિયા, તેમના પતિ મહેશભાઇ, ગ્વાલિયરથી આવેલા રાજેશભાઇ રસિકભાઇ કલાડિયા, ભાવનાબેન રાજેશભાઇ, વાણિયાવાડીમાં રહેતા બળદેવભાઇ ઠાકરશીબાઇ કલાડિયા દેવપરામાં રહેતા રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડિયા, તેમના પત્ની મીનાબેન, પુત્ર સાગર તથા મુકેશભાઇ ગયા હતા. કલાડિયા પરિવાર મહોત્સવ પૂરો કરી ઇકો કારમાં પરત ફરતો હતો ત્યારે કાગદડી નજીક ગોઝારો અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં કારનો ચાલક ભડથું થઇ ગયો હતો, જ્યારે અન્ય સાતના ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યાં હતાં.
2/6

રાજકોટની ભાગોળે થયેલા ગોઝારા અકસ્માતમાં કલાડિયા પરિવારના સાત સભ્યો અને કારચાલક મળી કુલ 8નાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં બે દંપતીનો ભોગ લેવાયો હતો, જેમાં રાજેશભાઇ કલાડિયા અને તેના પત્ની ભાવનાબેન રાજેશભાઇ તેમજ રમેશભાઇ કલાડિયા અને તેના પત્ની મીનાબેન કલાડિયાના મૃત્યુ થયા હતા. આજીવન સાથે રહેવાના એકબીજાને કોલ આપનાર બંને દંપતીએ મોતમાં પણ સાથ નિભાવતા કલાડિયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.
Published at : 18 Jul 2018 10:41 AM (IST)
Tags :
અકસ્માતView More





















