શોધખોળ કરો
ખોડલધામમાં 21 જાન્યુઆરીએ સર્જાશે દેશભક્તિનો આ અનોખો વર્લ્ડરેકોર્ડ, મોદી હાજર રહે તેવી શક્યતા
1/6

ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મંદિરના ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે, મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોઇ સતાવાર જાહેરાત કરાઇ નથી.
2/6

રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 17મી જાન્યુઆરીથી લઇને 21મી જાન્યુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, ૨૧મીએ સવારે ત્રણ લાખથી વધુ લોકો ભેગા થઈને રાષ્ટ્રગાન કરશે અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે.
Published at : 09 Jan 2017 10:06 AM (IST)
View More























