શોધખોળ કરો
રાજકોટઃ મરાઠી પરિણીતા સાથે વગર લગ્ને રહેતા ગુજરાતી યુવકનો આવ્યો કેવો કરુણ અંજામ? જાણો
1/7

માધવીએ પોલીસની પૂછપરછમાં તેને એક દિકરી જન્મી છે, તેનો પિતા જયદિપ હોવાનું જણાવ્યું હતું. પોલીસ અત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. ત્યારે હવે જયદિપની હત્યા થઈ છે કે નહીં અને હત્યા થઈ છે તો કોણે કરી? માધવીએ જે દીકરીને જન્મ આપ્યો તેનો પિતા જયદિપ છે કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી છે.
2/7

જયદિપના મોતના સમાચાર પરિવારને મળતાં તે મરાઠી યુવતી માધવી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતો હોવાની જાણકારી મળી હોવાનું પરિવારે જણાવ્યું હતું. માધવીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, જયદિપ કામેથી ઘરે આવ્યા બાદ હાથ-પગ ધોઇને રૂમમાં આવતાં થોડીવાર બાદ બેભાન થઇ ગયો હતો. જોકે, તે બેભાન કઇ રીતે થઇ ગયો? છાતી-હાથ પર બ્લેડના ઘા કઇ રીતે આવ્યા? તેનો જવાબ તે આપી શકી નહોતી.
Published at : 04 Jan 2017 05:27 PM (IST)
View More























