શોધખોળ કરો
રાજકોટઃ મરાઠી પરિણીતા સાથે વગર લગ્ને રહેતા ગુજરાતી યુવકનો આવ્યો કેવો કરુણ અંજામ? જાણો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 04 Jan 2017 05:27 PM (IST)
1/7

માધવીએ પોલીસની પૂછપરછમાં તેને એક દિકરી જન્મી છે, તેનો પિતા જયદિપ હોવાનું જણાવ્યું હતું. પોલીસ અત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. ત્યારે હવે જયદિપની હત્યા થઈ છે કે નહીં અને હત્યા થઈ છે તો કોણે કરી? માધવીએ જે દીકરીને જન્મ આપ્યો તેનો પિતા જયદિપ છે કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી છે.
2/7

જયદિપના મોતના સમાચાર પરિવારને મળતાં તે મરાઠી યુવતી માધવી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતો હોવાની જાણકારી મળી હોવાનું પરિવારે જણાવ્યું હતું. માધવીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, જયદિપ કામેથી ઘરે આવ્યા બાદ હાથ-પગ ધોઇને રૂમમાં આવતાં થોડીવાર બાદ બેભાન થઇ ગયો હતો. જોકે, તે બેભાન કઇ રીતે થઇ ગયો? છાતી-હાથ પર બ્લેડના ઘા કઇ રીતે આવ્યા? તેનો જવાબ તે આપી શકી નહોતી.
3/7

આ માધવીએ જયદિપને પોતાનો મોબાઇલ ખરાબ થઇ ગયો છે, તેમ કહી મિસ કોલ કરવાનું કહી તેનો નંબર મેળવી લીધો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. પિતાએ આ અંગે તેને ટપાર્યો હતો. જોકે, તેણે આ વાત માની નહોતી. ગત દિવાળી પછી ઘર છોડીને તેની સાથે રહેવા જતો રહ્યો હતો. તેણે ઘરે મિત્ર સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું.
4/7

જયદિપની છાતી-હાથ પર જે બ્લેડના ઘા મારવામાં આવ્યા છે, તેનાથી મોત થાય તેવી ઇજા નહોતી અને મોત ગળાફાંસાથી થયાની શંકા તબીબે દર્શાવી હતી. જોકે, સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયા પછી સામે આવશે. જયદિપ પોતે ઇલેકટ્રીક કામ કરતો હતો. પિતા અનિલભાઇના કહેવા મુજબ અગાઉ જયદીપે કોઠારીયા સોલવન્ટમાં મકાન લીધુ હતું. ત્યારે બાજુમાં એક મરાઠી પરિણીતા માધવી રહેતી હતી. તે એક દિકરાની મા છે.
5/7

જયદિપના હાથ અને છાતીમાં બ્લેડના ઘા હોવાની અને તે બેભાન થઇ ગયાની જાણ ૧૦૮ને થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં જયદિપનું મોત નિપજ્યું હતું. જેની જાણ ભક્તિનગર પોલીસને કરતાં પોલીસ ત્યાં દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવકના પરિવારને બોલાવીને પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
6/7

પરિણીત મરાઠી યુવતી સાથે કૈલાસપાર્કના જયદિપ ઉર્ફ જસ્મીન અનિલભાઇ ટાંક (ઉ.૨૩) લિવ-ઇન રિલેશનમાં રહેતો હતો. ત્યારે પીજીવીસીએલમાં કામ કરતાં અનિલભાઈએ પુત્ર જયદિપની હત્યાની શંકા દર્શાવતા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. આનંદનગર કોલોની કવાર્ટર નં. ૨૯૪માં હાર્દિકભાઇ કોળીના મકાનમાં જયદિપ ભાડેથી રહેતો હતો.
7/7

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ આનંદનગર કવાર્ટરમાં મરાઠી પરિણીત યુવતી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતા યુવકનું શંકાસ્પદ મોત થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે મૃતક યુવકના પિતાએ તેના દીકરાની હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મૃતક યુવકની છાતી અને હાથ પર બ્લેડના ઘા મળી આવ્યા છે. જોકે, મોત ગળેફાંસો ખાવાથી થયાની આશંકા સેવવામાં આવી છે.
Published at : 04 Jan 2017 05:27 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
ગુજરાત
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ગુજરાત
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર





















