શોધખોળ કરો

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા

ઓવલ ખાતેની ઐતિહાસિક ટેસ્ટ જીતમાં ભારતીય ટીમે કેટલાક નિર્ણાયક પરિબળોને કારણે સફળતા મેળવી.

India wins Oval Test: ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે 6 રનના નજીવા માર્જિનથી જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે ભારતે વિદેશી ધરતી પર 5 ટેસ્ટની શ્રેણીની અંતિમ મેચ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ રોમાંચક વિજય પાછળ ઘણા કારણો જવાબદાર હતા, જેમાં મુખ્ય બોલર મોહમ્મદ સિરાજનું નેતૃત્વ, બેટિંગમાં ઊંડાણ અને યશસ્વી જયસ્વાલની નિર્ણાયક સદીનો સમાવેશ થાય છે. આ જીતથી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2-2 થી ડ્રો પર સમાપ્ત થઈ.

ઓવલ ખાતેની ઐતિહાસિક ટેસ્ટ જીતમાં ભારતીય ટીમે કેટલાક નિર્ણાયક પરિબળોને કારણે સફળતા મેળવી. જસપ્રીત બુમરાહ ની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ નું શાનદાર નેતૃત્વ અને કુલ 9 વિકેટનું પ્રદર્શન, ટીમની બેટિંગમાં ઊંડાણ, અને ખાસ કરીને વોશિંગ્ટન સુંદર (53 રન) અને રવિન્દ્ર જાડેજા (53 રન) જેવા નીચલા ક્રમના બેટ્સમેનોનું યોગદાન મહત્વનું હતું. આ ઉપરાંત, પ્રસિદ્ધ કૃષ્ણાનો સારો સપોર્ટ, મેચના પાંચમા દિવસે જૂના બોલનો કુશળ ઉપયોગ અને યશસ્વી જયસ્વાલની 118 રનની નિર્ણાયક સદીએ ભારતને જીતનો માર્ગ કંડારી આપ્યો.

  1. મોહમ્મદ સિરાજનું નેતૃત્વ

જસપ્રીત બુમરાહ ની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે ભારતીય પેસ આક્રમણનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તેણે સમગ્ર મેચમાં કુલ 9 વિકેટ ઝડપી અને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને સતત દબાણમાં રાખ્યા. તેની બોડી લેંગ્વેજ અને આક્રમકતાએ પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશદીપ જેવા યુવા બોલરોને પણ પ્રોત્સાહિત કર્યા, જેણે બોલિંગને વધુ અસરકારક બનાવી.

  1. બેટિંગમાં ઊંડાણ અને નિર્ણાયક ઇનિંગ્સ

આ શ્રેણીમાં ભારતીય ટીમની બેટિંગમાં ઊંડાણ જોવા મળ્યું. પ્રથમ ઇનિંગ્સમાં, 153 રનમાં 6 વિકેટ પડ્યા પછી, નીચલા ક્રમના બેટ્સમેનોએ 71 રન ઉમેરીને ભારતને 224 ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. બીજી ઇનિંગ્સમાં, વોશિંગ્ટન સુંદર (53 રન) અને રવીન્દ્ર જાડેજા (53 રન) ની અડધી સદીઓએ ટીમના સ્કોરને 396 સુધી પહોંચાડવામાં મદદ કરી, જેનાથી ઇંગ્લેન્ડ સામે એક મોટો લક્ષ્યાંક મૂકી શકાયો. જો આ ઇનિંગ્સ ન હોત, તો કદાચ મેચનું પરિણામ અલગ હોત.

  1. બોલરોનો સારો સપોર્ટ

ઓવલ ટેસ્ટમાં ભારતના મુખ્ય બોલરોને સારો સપોર્ટ મળ્યો, જે સામાન્ય રીતે ઓછું જોવા મળે છે. એક તરફ, સિરાજે 9 વિકેટ લીધી, તો બીજી તરફ પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ તેને સારો ટેકો આપ્યો અને મેચમાં કુલ 8 વિકેટ ઝડપી. આકાશદીપની પણ બોલિંગ નિર્ણાયક ક્ષણોમાં અસરકારક રહી, જેના કારણે ઇંગ્લેન્ડના બેટ્સમેનો પર દબાણ જાળવી શકાયું.

  1. પાંચમા દિવસે જૂના બોલનો સમજદારીપૂર્વક ઉપયોગ

મેચના પાંચમા દિવસે, જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે માત્ર 35 રનની જરૂર હતી, ત્યારે ભારતે 80 ઓવર પછી ઉપલબ્ધ નવો બોલ લીધો ન હતો. સિરાજ અને કૃષ્ણા જૂના બોલને સારી રીતે સ્વિંગ કરાવી રહ્યા હતા, જેના કારણે અંગ્રેજી બેટ્સમેનોને બોલ રમવામાં મુશ્કેલી પડી રહી હતી. જો ભારતે નવો બોલ લીધો હોત, તો બોલ વધુ ઉછળી શક્યો હોત અને બેટ્સમેનો માટે કામ થોડું સરળ બની શક્યું હોત. આ વ્યૂહાત્મક નિર્ણયે મેચનું પરિણામ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી.

  1. યશસ્વી જયસ્વાલની નિર્ણાયક સદી:

આ ટેસ્ટ પહેલા યશસ્વી જયસ્વાલ ફોર્મમાં નહોતો, પરંતુ તેણે સૌથી મહત્વપૂર્ણ ક્ષણે શાનદાર પ્રદર્શન કર્યું. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 23 રનની લીડ પછી, જયસ્વાલે બીજી ઇનિંગ્સમાં 118 રનની શાનદાર સદી ફટકારી. તેની આ ઇનિંગના કારણે ભારતનો સ્કોર 396 સુધી પહોંચ્યો અને ઇંગ્લેન્ડને એક મોટો લક્ષ્યાંક મળ્યો, જેનાથી ભારતની જીતનો માર્ગ સરળ બન્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget