શોધખોળ કરો

Ajit Agarkar:  પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર બન્યા નવા ચીફ સિલેક્ટર

અજિત અગરકર ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. BCCIએ અજિત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવા માટે પગારમાં પણ વધારો કર્યો છે.

Ajit Agarkar:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા ચીફ સિલેક્ટર કોણ હશે આ વાતનો જવાબ મળી ગયો છે. પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકરની ચીફ સિલેક્ટરના પદ પર પસંદગી કરવામાં આવી છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજિત અગરકર ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. BCCIએ અજિત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવા માટે પગારમાં પણ વધારો કર્યો છે. બીસીસીઆઈ આ અંગે સત્તાવાર ટ્વિટ કરી જાણ કરી છે. 

અગરકરનું ચીફ સિલેક્ટર બનવાનું લગભગ નક્કી હતું

અજિત અગરકરનું ચીફ સિલેક્ટર બનવાનું લગભગ નક્કી હતું. ગત વખતે જ્યારે ચેતન શર્માને ફરીથી ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા ત્યારે અજિત અગરકર પણ રેસમાં સામેલ હતા. જો કે ત્યારબાદ ચેતન શર્મા બાજી મારવામાં  સફળ રહ્યો હતો. પરંતુ ચેતન શર્માનું એક સ્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેના કારણે તેમને ચીફ સિલેક્ટરનું પદ છોડવું પડ્યું. ચીફ સિલેક્ટરની જગ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલી હતી. હવે આ પદ માટે અજિત અગરકરની પસંદગી કરવામાં આવી છે.

અગરકર અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા

અગરકર અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પરંતુ થોડા દિવસો પહેલા અગરકરે દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે અગરકરને ચીફ સિલેક્ટર  બનાવવામાં આવશે. આવતા મહિને રમાનારી એશિયા કપ પહેલા અજિત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને લઈને અજિત અગરકરની ભૂમિકા મહત્વની રહેશે.

અજિત અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાંથી તેના નામે કુલ 349 ઇન્ટરનેશનલ વિકેટ છે. IPLમાં પણ તે કોલકાતા નાઈટરાઈડર્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ માટે થોડી સીઝન રમી ચૂક્યો છે. આટલા અનુભવના કારણે તેની દાવેદારી અન્ય પૂર્વ ક્રિકેટર કરતા વધુ મજબૂત હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછા અનુભવીની સિલેક્ટર તરીકે પસંદગી થવી એ બીસીસીઆઈ પર સવાલ ઊઠાવતું હતું. આવામાં હવે અગરકર પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટના અનુભવના કારણે ચીફ સિલેક્ટરના પદ પર રહીને સારી ટીમ પસંદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.    

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget