શોધખોળ કરો

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

Vaibhav Suryavanshi debut: ઈંગ્લેન્ડ પ્રવાસમાં સંજુ સેમસનની સતત નિષ્ફળતા બાદ 15 વર્ષીય વૈભવને ટીમમાં સામેલ કરવાની માંગ તેજ બની છે, દિગ્ગજો પણ કરી રહ્યા છે હિમાયત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય ટીમમાં યુવા વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની ચર્ચા ચાલી રહી છે.
  • સંજુ સેમસનના ખરાબ ફોર્મ છતાં મેનેજમેન્ટનો તેના પર ભરોસો.
  • BCCI ઉપાધ્યક્ષે કોચ-કેપ્ટન નિર્ણય લેશે, વૈભવને તક મળશે.
  • મહાન ખેલાડીઓએ વૈભવને સમર્થન આપ્યું, સેમસન માટે ચેતવણી.

Vaibhav Suryavanshi debut: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસનની સતત નિષ્ફળતા બાદ ચાહકોથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજો વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવાની માંગ કરી રહ્યા છે. આ ચર્ચાઓ અને ટીમ મેનેજમેન્ટ પર થઈ રહેલી ટીકાઓ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે.

ખરાબ ફોર્મ છતાં સેમસન પર મેનેજમેન્ટનો ભરોસો

નોંધનીય છે કે, યુકે પ્રવાસમાં રમાયેલી અત્યાર સુધીની 3 ઇનિંગ્સમાં સંજુ સેમસન માત્ર 6 રન જ બનાવી શક્યો છે. ખરાબ ફોર્મ છતાં ટીમ મેનેજમેન્ટે નિયમિત ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને સંજુ સેમસન પર પોતાનો ભરોસો કાયમ રાખ્યો છે. બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે યુવા ખેલાડી વૈભવને યોગ્ય સમયે તક ચોક્કસ મળશે, પરંતુ નિષ્ફળતાના સમયે ખેલાડીઓમાં વિશ્વાસ દર્શાવવો પણ મેનેજમેન્ટ માટે એટલું જ જરૂરી છે.

BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શું કહ્યું?

'ટાઈમ્સ નાઉ'ના અહેવાલ મુજબ, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, "અમે જાણીએ છીએ કે વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેણે IPLમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. મેં ટીમ મેનેજમેન્ટ વિરુદ્ધ ચાલી રહેલી વાતો સાંભળી છે, પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે પ્લેઈંગ ઈલેવનને લઈને અંતિમ નિર્ણય કોચ અને કેપ્ટન જ લેશે. જ્યારે તેમને લાગશે કે પરિસ્થિતિ અનુકૂળ છે, ત્યારે વૈભવને ચોક્કસપણે ડેબ્યૂ કરવાની તક આપવામાં આવશે."

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ

સેમસન માટે વાગી ચેતવણીની ઘંટડી

સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ જેવા અનેક મહાન ક્રિકેટરો પણ વૈભવને વહેલી તકે મેદાનમાં ઉતારવાની તરફેણ કરી ચૂક્યા છે. જોકે, મેનેજમેન્ટ હજુ પણ સેમસનને પીઠબળ આપી રહ્યું છે, પરંતુ સેમસન માટે હવે ચેતવણીની ઘંટડી વાગી ચૂકી છે. ભૂતકાળના સારા પ્રદર્શનો કે અગાઉ ફટકારેલી અડધી સદીઓ તેને લાંબા સમય સુધી ટીમમાં ટકાવી શકશે નહીં. ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સેમસને વહેલામાં વહેલી તકે પોતાના ફોર્મમાં પરત ફરવું જ પડશે.

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ અંગે શા માટે ચર્ચા ચાલી રહી છે?

ઈંગ્લેન્ડ પ્રવાસ પર સંજુ સેમસનની સતત નિષ્ફળતાને કારણે (3 ઇનિંગ્સમાં 6 રન) ચાહકો અને ક્રિકેટ દિગ્ગજો વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવાની માંગ કરી રહ્યા છે.

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ અંગે BCCI નું શું વલણ છે?

BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે વૈભવ પ્રતિભાશાળી છે, પરંતુ પ્લેઇંગ ઇલેવનનો અંતિમ નિર્ણય કોચ અને કેપ્ટન લેશે. અનુકૂળ પરિસ્થિતિમાં તેને તક મળશે.

શું સંજુ સેમસનના ખરાબ ફોર્મ છતાં ટીમ મેનેજમેન્ટ તેના પર ભરોસો રાખી રહ્યું છે?

હા, યુકે પ્રવાસમાં 3 ઇનિંગ્સમાં માત્ર 6 રન બનાવ્યા હોવા છતાં, ટીમ મેનેજમેન્ટ નિયમિત ઓપનિંગ જોડી સંજુ સેમસન અને અભિષેક શર્મા પર ભરોસો કાયમ રાખી રહ્યું છે.

સંજુ સેમસન માટે શું ચેતવણી આપવામાં આવી છે?

મેનેજમેન્ટ તેને પીઠબળ આપી રહ્યું છે, પરંતુ તેને ટીમમાં સ્થાન જાળવી રાખવા વહેલી તકે ફોર્મમાં પાછા ફરવું પડશે. ભૂતકાળના સારા પ્રદર્શનો તેને લાંબા સમય સુધી ટકાવી શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Embed widget